________________
એકવીશ ભવને નેહસંબંધ
મધુર ભાષિણી એ બાળામાં સ્ત્રીને ઉચિત ગુણો સ્વાભાવિક રીતે રહેલા હતા, સરળસ્વભાવી, સ્થિર સ્વભાવી તેમજ લજજાવડે નમ્રમુખી એવી તે બાળ કલામાં કુશળ હોવા છતાં વિવેકી અને વિનયવતી હતી.
પૃથ્વીમંડલ ઉપર વસંતરૂતુનાં આગમન શરૂ થયાં, એના પ્રભાવથી ઉદ્યાને નવપલ્લવિત અને ફાલ્યાં કુલ્યાં બનીને આકર્ષક બની રહ્યાં હતાં, મંજરીઓથી લચી પડેલા સહકારનાં વૃક્ષની શેભા અપૂર્વ હતી, માધવી આદિ લત્તાઓ પુપોને વિકસાવતી પોતાની મનહર અને દિલખુશ સુવાસથી ઉદ્યાનની હવાને ઉત્તેજિત કરી રહી હતી. કોકિલાઓનાં સુમધુર ગીત વસંતના રાગમાં અપૂર્વ સાથ આપી રહ્યાં હતાં.
એ વસંતના એક દિવસે બાળા પુષ્પાને પિતાની અનુમતિથી માતાએ સાહેલીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરે વાને મોકલી, ઉદ્યાનમાં આવીને પુષ્પોની સુવાસને અનુભવ કરતી ને પંચરંગી પુષ્પો સાથે ગેલ કરતી બાળા ઉદ્યાન-વનની શેભાને જોતી આનંદ ક્રીડા કરી રહી હતી, - “સખી પુષ્પા! જો પોતાના પતિ વસંતરાજને પ્રાપ્ત કરીને આ વનરાજી કેવી કિલકિલાટ ખીલી રહી છે? પુન્નાગવડે કરીને આ નાગવલ્લી લતા શેભે છે ને એ નાગવલ્લીવડે પુન્નાગ વૃક્ષ કેવું શોભી રહ્યું છે? તેવી જ રીતે મનહર લાવણ્યવાળી તારા જેવી બાળા પતિવડે કરીને શેભે.” સખીઓ બાળા પુષ્કાને અનેક વાણી વિનોદવડે કરીને ખુશ કરવા લાગી.
એ પ્રમાણે વિનેદ કરી રહેલી સખીઓ સાથે બાળા પુષ્પા વનની શોભા નિરખીને લતામંડપમાં આવી વીણાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com