________________
૨૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રક્ષા કરતા હતા, ધર્મપૂર્વક અર્થ અને કામની સાધના કરતા રાજા દેવસેન અનુપમ ભેગોને પણ ભેગવતા હતા ન્યાયથી રાજ્ય કરતાં દેવસેન નરપતિને ચંદ્રકાંતા પટ્ટરાણીથી એક પુત્રને જન્મ થયે એનું નામ શુરસેન,
" એ દિવ્ય કાંતિવાળા શુરસેનવડે સૂર્યના ઉદયથી જેમ પૂર્વ દિશા શેભી રહે તેવી રીતે મહાદેવી ચંદ્રકાંતા પણ શેભી રહી હતી. બાળ ચંદ્રમાની માફક અનુક્રમે વૃદ્ધિને પામતે રસેન શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં પ્રવિણ થયો, નવયુવાન થયે.
દરરોજ ચંદ્રકાંતાના પિતા વિદ્યાધરરાજ રવિકિરણ તરફથી દિવ્ય ભેગે આવ્યે જતા હતા, મનુષ્યના ભેગે ઉપરાંત વિદ્યાધરના દિવ્ય ભેગોને ભેગવતાં આ સુખી યુગલને પણ એક દિવસ વિઘ આવ્યું. વિદ્યાધરરાજ રવિકિરણ ચિત્તની વ્યાક્ષિપ્રતાથી પોતાની પુત્રીને દિવ્યભેગા મોકલી શકો નહિ, પિતા તરફથી એક દિવસ એ ભેગેની પ્રાપ્તિ ન થવાથી ચંદ્રકાંતાના મનમાં અનેક ઉથલપાથલા થઈ ગઈ.
એ દિવ્ય ભેગના રોજના અભ્યાસથી એક દિવસ એ દિવ્ય ભેગની વસ્તુઓનું સ્થાન સાધારણ વસ્તુઓએ લેવાથી ચંદ્રકાંતાને બધુ નિરસ લાગ્યું. એના મનમાં કંઈ કંઇ વિચાર આવી ગયા. “આહા! આજે પિતાએ કાંઈ ના મોકલ્યું, શું આજે એ મને ભૂલી ગયા! શું મારી ઉપરકોપાયમાન થયા ! અથવા તે શું મારી ઉપર નિઃશનેહ વાળા થયા ?) અગ્નિથી દગ્ધ થયેલી માલતીની લતાની માફક ચંદ્રકાંતા શ્યામવદનવાળી થઈ ગઈ હિમથી બળી ગયેલી કમલિની માફક એના વદન પર ખુબ ગ્લાની પથરાઈ ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com