________________
એકવીશ ભવને નેહસંબંધ
૨૦૯;
વાંદવાને સમર્થ નથી, મોહને નાશ કરનારી તેમની દેશના પણ સાંભળવાને જેઓ શક્તિવાન નથી એવા ભૂચારી મનુષ્યનું બળ, બુદ્ધિ, રૂપ અને વિજ્ઞાન વિદ્યાધરની પાસે સમુદ્રની આગળ ખાબોચીયાના જેવું છે. વિદ્યારે લીલા માત્રમાં જેમને પરાભવ કરી શકે છે. જેમની પાસેથી ગમે તેવી વસ્તુને પણ જોતાં જોતાં હરી શકે છે એવા સમર્થ વિદ્યાધરને ત્યાગ કરી તને પૃથ્વીના કીડા જેવા મનુષ્ય તરફ શું જોઈને પ્રીતિ થાય છે? -
પિતાના બંધુઓની અને સ્વજનની શિખામણને હૈયામાં ધારણ કરતી ચંદ્રકાંતા બેલી. પોતાની સ્તુતિ અને પારકી નિંદા એતો રાગદ્વેષાના પરિણામથી થઈ શકે પરતુ મધ્યસ્થ પુરૂષે તો વિચાર કરે તે માલુમ પડે કે વિદ્યાધર અને મનુષ્યપણામાં નુભવના સમાપણા થકી લગભગ સરખુ જ છે. જન્મ, જરા, મૃત્યુ અને રેગાદિક ભાવે જેમ મનુષ્ય-ભૂચારીને વળગેલા છે તેમ વિદ્યાધરને પણ વળગેલા છે.
તમે એમ કહેશે કે વિદ્યારે આકાશગામી હોવાથી ગમે ત્યાં જઈ શકે છે તો આકાશને વિષે તો પંખીઓ પણ ઉડીને ગમે ત્યાં જઈ શકે છે. રૂપ પરાવર્તન નટ લેકે પણ આબેહુબ રીતે કરી શકે છે, માટે વિદ્વાન પુરૂષ પ્રાપ્ત થયેલી વસ્તુને ગર્વ કરતા નથી. વિદ્યાધરો જ્યારે વિદ્યાના બળથી શત્રુને જીતી શકે છે. ત્યારે ભૂચર મનુષ્ય પોતાના બાહુબિલથી દુશમનને મારે છે. માટે મધ્યસ્થ થઈને વિચાર કરો કે મનુષ્ય અને વિદ્યાધરમાં કેણ વખાણવા યોગ્ય છે તે
મનુષ્યમાં જે વિદ્યાધરની જાતિ ઉત્તમ મનાતી હેત તો અરિહંત, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ તમારી -ઉત્તમ જાતિમાં કેમ ઉપન્ન થતા નથી? અરે ભૂચર-મન
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com