________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૯૩
હું મુક્ત થાઉં ને મારા મૃત્યુથી રાજકુમારે આપોઆપ કલેશ કરતા વિરમશે-પતપતાને વતન ચાલ્યા જશે. - રાજકુમારીની વાત સાંભળી રાજાએ સુબુદ્ધિમંત્રીની સન્મુખ જોયું. “અરે મંત્રી! વિપદ સાગરમાં ડુબી જતાં એવા મારી તું કેમ ઉપેક્ષા કરે છે? મંત્રી તો તે જ કહેવાય કે જે વિષમકાર્યને પણ સરખાં કરી નાખે, મુશ્કેલીમાંથી પણ માર્ગ કાઢે. » દુ:ખથી પીડાતા રાજાને જોઈ મંત્રી બોલે, “મહારાજ ! રાજબાળા ભલે કાષ્ટ ભક્ષણ કરે આપ અનુમતિ આપે.”
અરે! તું ભાનમાં છે ને? આ તું શું બોલે છે?” રાજા ફાટી આંખે મંત્રી સામે જોઈ રહ્યો.
દેવ ! હું સત્ય કહું છું, પરિણામ એવું સુંદર આવશે કે જેથી કન્યા અને વરને સુખ થશે. તેમજ આપણી આપદા પણ બાળાના આ કાર્યથી નાશ પામી જશે.” .
રાજાએ નગરની બહાર ચંદનકાષ્ટની ચિતા રચાવી તૈયાર કરાવી. રાજબાળા પણ સ્નાન કરી પવિત્ર થઈ ચિતામાં બળી મરવાને ત્યાં આવી. રાજા અને મંત્રી વગેરે પરિવાર ભેગો થઈ ગયો બધા શેકસાગરમાં મગ્ન થઈ ગયાં
સુબુદ્ધિ મંત્રીએ પેલા ચારે રાજકુમારને ત્યાં બોલાવી મધુર વાણીથી કહ્યું, “તમે ચારે સમાન રૂપગુણવાળા રાજકુમારે અમારે માન્ય છે. તેથી ત્રણનું અપમાન કરીને એકને અમે રાજપુત્રી શી રીતે આપીએ ? માટે આ કન્યાને અગ્નિમાં બળી મરવાની તમે રજા આપો, તમારે પણ એ બાબતને શેક ન કરે છતાંય તમારામાં જે કન્યા ઉપર ગાઢ પ્રીતિવાળો હેય તે કન્યાની સાથે
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com