________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૫૩
તમારે માતા પિતા જે દુ:ખ ભેગવે છે તેનું વર્ણન કરવાને કે શક્તિમાન નથી. એવા દુ:ખમાં સમય વ્યતીત કરતી હાલમાં તમારા ગુણેનું વર્ણન કેઈક વૈતાલિકના મુખેથી સાંભળી કંઈક સ્વાધ્ય પામેલા રાજાએ મને આપી પાસે મોકલ્યો છે માટે હે દેવ! આપના દર્શનથી હવે આપ માતાપિતાને રાજી કરે ?” - દૂતની વાણી સાંભળી રાજા વિચારમાં પડયા“અહા! માતાપિતાને મારી ઉપર ગાઢ સ્નેહ છે કે જેથી આટલે દીર્ઘકાલ જવા છતાંય તેઓ મને ભૂલ્યા નથી. હું તો રાજ્ય અને રમણીમાં માતાપિતાને ભૂલી ગયો છું છતાં હવે મારે ત્યાં જઈને માતાપિતાના મનને હર્ષ પમાડે જોઇએ.
રાજાએ વિચાર કરી મતિવર્ધન મંત્રીને રાજ્ય ઉપર અધિષિત કરી પોતાના વતન જવાની મોટા આડંબર પૂર્વક તૈયારી કરી, અનેક હાથી, ઘોડા, રથ, પાયદળરૂ૫ ચતુરંગી સેના તથા પોતાની પ્રિયાઓ સહિત કમલસેને પ્રસ્થાન કર્યું,
માર્ગમાં અનેક રાજાઓના ભેંટણને સ્વીકારતે તેમની મહેમાનગતિને સ્વાદ ચાખત કમલસેન પિતનપુરના માર્ગે ચાલ્યો, અનેક નગર, શહેરના લેથી જેવાતે, દીન અને દુ:ખી જનેના દુ:ખને દૂર કરો, જીનમંદિરમાં પૂજાને રચાવતો તેમજ જીર્ણ એવા જન પ્રાસાદનો ઉદ્ધાર કરતો રાજા, જૈન શાસનની પ્રભાવના વધારતો હતો. રાજા કમલસેન ચતુરંગી સેના સહિત પ્રયાણ કરતા અનુક્રમે પિતનપુરના સીમાડે આવી પહોંચ્યાએ દિગવિજયી પુત્રના આગમનને વૃત્તાંત જાણું માતા પિતાના હર્ષને કાંઈ પાર ન રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com