SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના —[]॰[]— ૧ સંસ્કૃત ભાષાનું શિક્ષણ કઇ પદ્ધતિએ આપવુ એ વાર વાર ચર્ચાતા પ્રશ્ન છે. જૂની પદ્ધતિથી ભણનાર કે ભણાવનાર માટે આ પ્રશ્ન ઉદ્ભવતા નથી. પણ ડાઁ. સર રામકૃષ્ણે ભાંડારકરે માગ પદેશિકા અને મદિરાન્તઃપ્રવેશિકા દ્વારા સંસ્કૃત ભાષાને સુગમ કરવાના સમ પ્રયત્ન કર્યો અને તેને આધુનિક અભ્યાસક્રમામાં સ્થાન મળ્યું ત્યાર પછી સંસ્કૃત ભાષાને વધારે સુગમ કેમ કરવી એ પ્રરત વિચારશીલ શિક્ષા અને સંસ્કૃત ભાષાના હિમાયતીઓ વાર વાર ચર્ચે છે. ભાષાએ ક્રમ શિખવવી-અત્યારે ચાલતી વ્યવહારની ભાષાએ ક્રમ શિખવવી અને પ્રાચીન ભાષાઓ કેમ શીખવવી-એ શિક્ષણનાં શાસ્ત્ર અને કળાના મહત્ત્વના પ્રશ્ન છે. આવી સામાન્ય ચર્ચામાંથી પણ સંસ્કૃત ભાષાના શિક્ષણપરત્વે વિચારવાનું પુષ્કળ મળે છે. સામાન્ય માન્યતા એવી છે કે પ્રાચીન ભાષા એટલે મૃતભાષા. પણ આ માન્યતા અમુક અમાં જ સાચી છેઃ વ્યવહારમાં ન વપરાય માટે મૃત. પણ મૃત શબ્દના બે એવા અર્થ કરીએ કે પ્રજાના માનસના ઘડતરમાં અથવા પ્રજાના વિચારકાના ઘડતરમાં સ્થાન ન હાલુ તા તે અર્થાંમાં દરેક પ્રાચીન ભાષા મૃત નહિ ગણાય. સંસ્કૃત ભાષા તો એ અમાં મૃત ગણાવા જરાપણ તૈયાર નથી. હજી પણ ભારતવના માનસિક લડતરમાં સંસ્કૃત ભાષાનું સ્થાન અદ્રિતીય નહિ તેપણ ઘણું હાટું છે. અને આ મહત્ત્વનું સ્થાન હાવાનું કારણ સ્પષ્ટ રીતે તેનુ' સાહિત્ય છે. સ`સ્કૃત ભાષા પોતાના સાહિત્યના બળે હજી જીવતી નગતી ભાષા છે. છતાં સાથે સાથે એ પણ સ્વીકારવું જોઇએ કે વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃતનું સ્થાન નજીવું છે. આ ષ્ટિએ સ`સ્કૃત ભાષાના શિક્ષણને અને તે માટે યેાજાતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034586
Book TitlePrathamam Girvan Sahitya Sopanam
Original Sutra AuthorN/A
AuthorRamchandra B Athavale, Rasiklal C Parikh
PublisherS B Shah Co
Publication Year1935
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy