SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ગભીલ અને શતવહનના સંબંધ વિશે ૨૮૦ ] વિક્રમ રાજાને એવી ખાતમી કાઈ એ આપી હતી કે તેને જો કાઈ પણ રાજા તરફના ભય હાય ! કેવળ રાજા હાલ શાલિવાહનનેા છે. અને આ રાજા હાલની ઉમર તે વખતે ઉગતી જુવાનીની—બલ્કે બાર તેર વર્ષની હેાવાનું સમજાય છે. આ ઉપરથી વિક્રમ રાજાએ તે શાલિવાહન રાજા સાથે યુક્તિથી દાસ્તી સાધી લીધી અને એક બીજાએ કાઇના રાજ્ય ઉપર આક્રમણ ન કરવું તથા અતિપતિએ વિંધ્યાપર્વતની દક્ષિણે ન જવું અને આંધ્રપતિએ તેની ઉત્તરમાં ન આવવું, એવી મતલબની સંધી કરી. આ કથનથી એ સ્થિતિ નિષ્પન્ન થાય છે. એક એ કે, રાજા વિક્રમ અને હાલની વચ્ચે ઉમરમાં ઘણા મોટા તફાવત છે. પહેલાની ઉમર લગભગ ૪૦ ઉપર વહૂની થઇ ગઇ છે, જ્યારે ખીજો હજુ ખાર તેર વર્ષના કિશાર છે; તે બાદ રાજા હાલ ગાદીપતિ બને છે અને તે બાદ, ઉપર પ્રમાણે સંધિ કરી તે પરસ્પર મિત્ર બને છે. અને બીજી એ ટ્રુ રાજા હાલની સાથે સંધી કરનાર વિક્રમરાજા જે શકારના નામથી પ્રસિદ્ધ છે, તે નહીં પણ તેના વંશને કાઈ ખીજો જ વિક્રમ હશે. આ બેમાંથી શું સાચું હાઈ શકે તે તપાસીએ. પ્રથમની સ્થિતિ તપાસી લઈ એ. તેમાં જણાવ્યા પ્રમાણે વિક્રમ રાજાની તથા હાલની વચ્ચેની ઉમર વચ્ચે ધણા ફેર તા, તે વિક્રમને શકારિ વિક્રમાદિત્ય લેતાં પણ મળી રહે છે. કેમકે ઇ. સ. પૂ. ૫૭ માં કારૂરનું યુદ્ધ થયું તે સમયે શકાર વિક્રમની ઉમર આશરે ૨૪ વર્ષની છે અને તેની મદદમાં ઉતરનાર ગૌતમીપુત્ર અરિષ્ટકર્ણની ઉમર આશરે ૪૦ ની છે (જીએ એકાદશમ પરિચ્છેદ). જ્યારે રાજા હાલની એક ગણત્રીએ ૧૫ વર્ષની અને ખીજી ગણત્રીએ ત્રણ ચાર વર્ષની જ છે (જુઓ દ્વાદશ પરિચ્છેદ). એટલે બન્ને સમકાલિન છે જ, વળી રાજા શારિ જ્યારે ઈ. સ. ૩ માં ૮૪ વર્ષની ઉમરે મરણ પામ્યા છે તે સમયે રાજા હાલની ઉમર લગભગ ૬૦ની અને તેના રાજ્યકાળ લગભગ ૫૦ વર્ષે પહોંચ્યા હતા. એટલે રાજા તરીકે પણુ સમકાલિન છે જ. તે જ પ્રમાણે જીંદગીમાં તેઓએ કરેલ અન્ય કાર્યોમાં એકખીજા સામેલ રહ્યા હૈાવાનું પણ સાબિત થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ પરંતુ મિત્રાચારી જો. પાછળથી બંધાઈ હાય તા એના અર્થ એમ કરી શકાય કે, રા શર્કારને જે મદદ નં. ૧૭ વાળા અરિષ્ટક ગૌતમીપુત્ર ( એટલે નં. ૧૮ ના પુરાગામીએ ) કરી હતી તે પાછળથી તૂટી જવા પામી હતી અને ફરી એકવાર રાજાહાલના રાજ્યકાળે સંધાઈ હતી. આ પ્રમાણે બન્યાનેા કયાંય ઇસારા માત્ર પણ થયે। હાવાનું વાંચવામાં આવતું નથી. જો કે રાજ્ય પૂરાવહનમાં તેવું અસભવિત પણ નથી. પર`તુ વિચારી જોતાં તેમ બન્યાનું શકય નથી, કેમકે નં. ૧૭ તું મરણ ઈ. સ. પૂ. ૪૭ માં થયું ત્યાં સુધી તે બંને રાજવંશી વચ્ચે મિત્રાચારીમાં લેશ માત્ર પણ ખલેલ પહેાંચ્યાનું કલ્પી શકાતું નથી અને તે બાદ તરતમાં જ હાલ રાજાનું ગાદીપતિ બનવું થયું છે. જ્યારે પેલું ભવિષ્યકથન-એ રાજ્ય વચ્ચે અથડામણુ થવાનું–તા રાજા હાલ ગાદીપતિ બન્યા તે પહેલાનું કહેવાય છે. એટલે તે વાત નં. ૧૭ વાળાની જીવંત અવસ્થામાં થઇ ગણાય જેમ થવું અશકય છે. મકે, એક તે રાજા હાલની કુમારાવસ્થા હતી એટલે અતિપતિને ભયભીત કરે તેવી સ્થિતિમાં તે નહાતા અને તેમ હેાય તે પણુ નં. ૧૭ વાળા નં. ૧૮ વાળાને તે બાબતની સૂચના આપી શકે છે અને નં. ૧૮ વાળા તે પ્રમાણે વર્તવાને બંધાયલા જ કહેવાય. આ પ્રમાણે પહેલે સંજોગ વિચારતાં તથા વસ્તુસ્થિતિની તુલના કરતાં રાજા હાલ વિશેની અથડામણુ થવાનું કથન વાજો હાવાનું પૂરવાર થતું નથી. હવે ખીઝ સ્થિતિ જેમાં ગર્દભીલવંશી કાઇ ખોજો વિક્રમ થયા હોય તે તેના સમકાલિન તરીકે રાજા હાલ થયા ડ્રાય તે તપાસીએ. બીજા વિક્રમ તરીકે તે। વિક્રમચરિત્ર છે. તેના સમય આપણે ઈ. સ. ૧૩ થી ૯૩ ના ઠરાવ્યા છે જ્યારે રાજા હાલનું મરણ જ ઈ. સ. ૧૮ માં થઇ ગયાનું જણાવ્યું છે. એટલે પ્રાથમિક નજરે જોતાં તે એ વચ્ચે સમકાલિનપણું કાષ્ઠ રીતે ઘટાવી શકાતું નથી. વળી જે પાંચ છ મહાન વ્યક્તિઓપાદલિપ્ત, આર્ય ખપુર, નાગાર્જુન, ઈ. જુઓ એકાદશમ પરિચ્છેદે–સમસમયી હાવાનું તે જ જૈનસાહિત્ય ગ્રંથ પ્રભાવકચરિત્ર આધારે કહેવાયું છે, તે મુદ્દો પણ www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy