SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ્ર ] પણ વિદિશાનું—શ્રી મહાવીરના નિર્વાણના સ્થાનનું નામ મધ્યમઅપાપા વિશેષપણે કહેવાયું છે: જેથી તે નામના પણ વિચાર કરી લઇએ. એમ કહેવાય છે કે, મૂળે તે નગરનું નામ અપાપા-પાપ જેમાં નથી તેવી નગરી હતું. પણ જ્યારથી તે નગરીએ શ્રી મહાવીર જેવા પુણ્યાત્માને ભાગ લીધે, એટલે કે તે ભૂમિ ઉપર તેમના દેહવિલય થયે। ત્યારથી તેનું નામ, અપાપા મટીને પાપા—એટલે પાપથી ભરેલી એવી− પુરી પડયું અને કાળાંતરે તેનું અપભ્રંશ થતાં થતાં “પાવાપુરી” નામ પ્રચલિત થઈ ગયું છે. ૬૩ પાવાપુરી કે અપાપાપુરી શબ્દની સાથે, જ્યારે મધ્યમ શબ્દ જોડાયા છે ત્યારે તેમાંથી બે પ્રકારના અર્થ નિષ્પન્ન થઈ શકે છે. (૧) એક એમ કે, અપાપા નગરી તે એકજ હાય પણ તેનાં ત્રણ પરાં હાય (પૂર્વ, મધ્યમ અને પશ્ચિમ) જેમાંથી મધ્યભાગે આવેલ પરામાં શ્રી મહાવીરનું નિર્વાણ થયું હાય; એટલે વિદિશાનાં ત્રણ પરાં થયાં, જેમાંના મધ્યમભાગને ખેસનગર અથવા વિદિશા, પશ્ચિમને સાંચી અને પૂર્વને બ્રિસા કહી શકાય. (૨) અને ખીજી રીતે જો ધટાવીએ તે। અપાપા નામની નગરીની સંખ્યા જ ત્રણ લેવીઃ તેમાંની મધ્યમ(મધ્યમ એટલે તેની જાહેાજલાલી કે વૈભવની દૃષ્ટિએ અને ઉજૈની (૬૩) પૂર્વ દેશ પાવાપુરી, રૂદ્ધે ભરીરે, મુક્તિ ગયા મહાવીર, તીરથ તે નમુંરે! આમાં પૂર્વ દિશિ પાવાપુરી' તેના અર્થ અનેક રીતે પટાવી શકાય તેમ છે. જેમ કે:(૧) પાવાપુરી લઇએ તે (અ) પૂ+દિશિ+પાવા=પાવાપુરીના જે પૂર્વી ભાગ રૂદ્ધિથી ભરાઈ રહ્યો છે (જે પાવાપુરીના પૂર્વ ભાગમાં ધનવાન વર્ગ વસી રહ્યો છે) તે પાવાપુરી. (બ) પૂર્વાં+દિશિએ+પાવા તેા પણ ઉપર પ્રમાણે અ નીકળે અથવા આ ગાથાના તાં સમયસુંદર પેાતે અવતિમાં સ્થિત થઇને તે બનાવી હોય તે સ્થાનની પૂ દિશામાં પાવાપુરી આવી હાય માટે તે સ્થળના નિર્દેશ છે એમ ઘટાવી શકાય છે. (૨) અપાપાપુરી લઈએ તે (અ) પૂ+શિ+અપાપા=પૂર્વ દિશ્ય પાપાં વંચાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯ નહીંજ; પણ સ્થાન નિર્માણની સ્થિતિની અપેક્ષાએ) નગરીમાં શ્રી મહાવીરના દેહ પડયા હતા. તે ઉપરાંત પૂર્વ અને પશ્ચિમનો પણ બીજી અપાપા નગરીથ્યા તે વખતે હતી. તેને જે અપાપા-પાપહિંત એટલે પુણ્યવંતી-નગરીની ઉપમા આપવાના હતુ હાય, તેા પૂર્વની અપાપા નગરી એટલે ભારહત ટાપવાળી નગરી સમજવી કે જે પણ એક પુણ્યવંત નગરજ કહેવાય અને પશ્ચિમની અપાપા નગરી, તે ખરી અથવા અસલ ઉજ્જૈની સમજવી રહે. કેમકે, સંભવ છે કે તે સ્થાને શ્રી મહાવીરે મહુસેન૬૪ વનમાં-ચંડપ્રદ્યોત ઉ મહાસેન રાજાના અધિકારમાં આવેલા વનમાં સમાસરીને ગણધર પદની સ્થાપના કરી હતી તેથી તે સ્થાનને પણ એક પવિત્ર-પુણ્યવંત નગરજ ગણવાનું કહી શકાય. આ પ્રમાણે ‘મધ્યમ અપાપા 'વાળા પદના અર્થ ખે રીતે ધટાવતાં, સ્થાર્નનર્માણવાળા અર્થ તરીકે, તેની ગણુના પૂર્વ ગ્રંથકર્તાઓએ કરી હાય તે વધારે સંભવિત છે, કેમકે જો ત્રણ પરાંના અર્થમાં લઇ એ તે એકબીજાની અપેક્ષાએ પૂર્વનું પુરૂં તે અંતિમજ કહેવાય, મધ્યમ ન કહેવાય; અને પેલું પદ તા કહે છે કે પૂર્વના પરામાંજ શ્રી મહાવીર મુક્તિને પામ્યા છે; એટલે, મધ્યમ અથવા પૂર્વ તે બેમાંથી એક શબ્દને ખાટાજ માનવા પડશે. પશુ - (બ) પૂ+દ્ધિશિએ+અપાપા=પૂર્વ દિશપાપા વ'ચામ ગમે તે રીતે ગાઠવા પણ અ તા ઉપર પાવાપુરીમાં જણાવ્યા પ્રમાણે જ થતા રહેરો, એટલે એમ કહેવા માગે છે કે, તે નગરીનેા પૂર્વ ભાગ (નહીં કે મધ્ય ભાગ) જેમાં અનેક શાહુકાર લાકા વસતા હતા તે ભાગમાં શ્રી મહાવીર નિર્વાણને પામ્યા છે. પુ. ૧. પૃ. ૧૮૬ ટી. નં. ૧૦૮ માં મેં અન્ય સૂચના કરીને ‘પૂર્વ વિશિ પાવાપુરી' તરીકે તે પદ હાવાનું જણાવ્યું છે; તેમ લેવાથી પણ અર્થાંમાં તે ફેરફાર થતા નથી જ. (૧૪) ઉજ્જૈની નગરીને વૈશાળી નગરી તરીકે પણ ઓળખાવી છે (જુએ પુ. ૧ પૃ. ૧૮૩. તથા મુનિશ્રી કલ્યાણવિજયછ સ ંપાદિત “ જૈનકાળ ગણના ” સ. ૧૯૮૭ પૃ. ૩૧ ટી, ન, ૨૮ તેના આ પ્રમાણે શબ્દો છે.) “ શ્રીવીર નિર્વાણાત્ વિશાલાયાં પાલક રાજ્ય ૨૦ વર્ષાણિ ” www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy