SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર પરિચય નીચેના વર્ણનમાં પ્રથમ આંક ચિત્રની સંખ્યા સૂચક છે, બીજે આંક તે ચિત્રને લગત અધિકાર ક્યા પાને આ પુસ્તકમાં ઉતાર્યો છે તે બતાવવા પૂરતો છે; સર્વ ચિત્રોને સંખ્યાના અનુક્રમ પ્રમાણે ગોઠવ્યાં છે. તેથી કયું ચિત્ર કયા પાને છે તે સહેલાઈથી શોધી કઢાય તેમ છે. કેઈ ચિત્ર તેની કોઈ વિશિષ્ટતાને અંગે આડું અવળું મૂકવું પડયું હોય કે એક કરતાં વિશેષવાર રજુ કરવું પડયું હોય તે તે હકીકત તેને પરિચય આપતાં જણાવ્યું છે. આગળની પેઠે આ પુસ્તકમાં પણ ચિત્રોને ત્રણ વર્ગમાં ગોઠવવામાં આવ્યાં છે. (૧) સામાન્ય ચિત્રો (૨) પરિચ્છેદનાં મથાળાંનાં શેલનચિત્રો (૩) અને રાજ્ય વિસ્તાર બતાવતા તથા અન્ય પદેશિક નકશાઓ. પ્રથમ આપણે સામાન્ય ચિત્રોનું વર્ણન કરીશું. (5) સામાન્ય ચિત્ર આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ કવર કલ્પવૃક્ષ અથવા ક૯પ૬મનું ચિત્ર છે, તેની હકીકત પુ. ૨ પૃ. ૨૮ માં સંપૂર્ણ જણાવી છે તે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. હિસ્ટરી ઓફ ઈન્ડીયન એન્ડ ઈટર્ન આર્કીટેક્ટર મિ. જેમ્સ ફરગ્યુસન કૃત પુ. ૧ પૃ. ૨૨૩ અને પૃ. ૪૯ માંથી અનુક્રમે લીધાં છે. બન્ને નિચે તેઓ સાહેબે “From a bas-relief at Amravati=અમરાવતીના નેતરકામ ઉપરથી” એવી નેંધ કરી છે. મતલબ કે આ બન્ને ચિત્રો અમરાવતી ટોપનાં અંશે છે. તેમનું વર્ણન છેક છેલ્લે હોવા છતાં મુખપૃષ્ઠ લેવાનું કારણ એ છે કે મંગલાચરણમાં ખાસ વિશિષ્ટતાસૂચક અને પૂજનીય વસ્તુ હોય તે રજુ કરવાનું દુરસ્ત ગણાય છે. આ બન્ને વસ્તુ તે બને મુદ્દા પૂરા પાડે છે. અમારી માન્યતા પ્રમાણેનું તેના ખાસ અધિકાર માટે વર્ણન પૃ. ૩૭ર થી જેવા વિનંતિ છે. જ્યારે ફરગ્યુસન સાહેબનું અસલ પુસ્તક કે જેમાંથી અમે આ ચિત્રો લીધાં છે તેમણે બીજું વિશેષ વર્ણન છે કે આપ્યું નથી પરંતુ ચિત્રદર્શનના સ્થાન ઉપરથી તેમને હેતુ બદ્ધધર્મનાં પિરાણિક મારકે રજુ કરવાને જ માત્ર હેય એમ સમજાય છે. ૩૭૨ ૩૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy