SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ] અત્યાર સુધી વર્ણવાયલા પરિચ્છેદેામાં જેમ સંકલિતપણે અમુક અમુક વંશ-રાજા કે પરિસ્થિતિનું અવલાકન કરાયું છે, તેમ આ હેતુ પરિચ્છેદમાં ક્રાંઇક સયેાજીતપણે કામ લેવાનું હશે એમ ધારવાનું નથી. મથાળું તે રખાયું છે ‘ ચણવંશી ક્ષત્રપ ' તે લગતું, કે જેને ઇતિહાસમાં સામાન્યરીતે Western Kshatraps=પાશ્ચાત્ય પ્રદેશના ( ભૂપતિએ એવા) ક્ષત્રપે। તરીકે ઓળખાવવામાં આવે છે અને જેને પુ. ૩ પૃ. ૩૪૨ માં આપણે ‘શાહુવંશ’તરીકે સંખાયે છે તેનું; પરંતુ તે આખા વંશમાં જેટલા રાજા થઈ ગયા છે, તેનું યથાસ્થિત અને જેટલું જાણવામાં આવ્યું છે તેટલું સધળું જ વર્ણન અત્ર આપવામાં આવ્યું નથી. કારણ કે તેમ કરવામાં આવે તે। આપણે ઠરાવેલી સમય મર્યાદાનું અતિ ઉલંધન થઈ જાય છે, એટલે તેમનું સંપૂર્ણ મ્યાન ન આપતાં તેમને લગતી જે જે વિગત અત્યાર સુધી નહીં શોધાયલી દેખાઈ છે અથવા તે માલૂમ પડી છે પણ જેમાં હવે ફેરફાર કરવાની આવશ્યકતા લાગી છે, તેટલીનું જ અહીં વિવેચન કરવાની ધારણા રાખી છે કે જેથી કરીને તેમને સંપૂર્ણ ઇતિહાસ લખવામાં આવે ત્યારે તે બાબતે ઉપર પૂરતું લક્ષ આપવામાં આવે. ચણવંશી ક્ષત્રપા વળી, આ ક્ષત્રપોને લગતી ખીનાઓનું સ્વતંત્ર વર્ણન ન આપતાં, આ કુશાનવંશી પ્રજા સાથે જ તેમને એક પરિચ્છેદ ખનાવીને જોડયા છે તેનું કારણ એ છે કે, આ ક્ષત્રપા મારી સમજ પ્રમાણે કુશાનવંશી રાજાઓના સરદાર। હ।વાનું નક્કી થાય છે. એટલે કુશાન અને ચઋણુ વંશને લગતા કેટલાક બનાવા અંદર અંદર એક ખીજાને સ્પર્શીને રહેલા છે, તે માટે તેમના જ તિહાસની સાથે જે આમનું (૧) આ નામ શા માટે પાડવામાં આવ્યું હતું તે પુ. ૩ માં તેજ ઠેકાણે દર્શાવવામાં આવ્યું છે. તે નામ પાછળથી ખાટું ઠરાવવામાં આવ્યું છે એટલે આપણે પણ તેને છેડી દઈને ચણ્વશી શબ્દ જ વાપરવાનું ચાલુ રાખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૮૩ વર્ણન કરી બતાવવામાં આવે તે લેખકને તેમજ વાચકને બંનેને અનુકૂળ થઈ પડે એમ દેખાયું છે. ઉપર પૃ. ૧૫૯ માં જે મુદ્દાઓનું આ પરિચ્છે વર્ણન કરવા માટેની સૂચના કરાઇ છે તેમાંના એક પ્રશ્ન તેમના શક-સંવત્સરને લગતા છે. પ્રથમ પરિચ્છેદે કુશાન વંશની નામાવિલ ગાઠવતાં એમ જણાવાયું છે કે તેમના શક ઇ. સ. ૧૦૩ માં જ્યારથી કનિષ્ક પહેલા મથુરાપતિ બન્યા હતા ત્યારથી આરંભાયેા છે, સાથે સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ચણ્વશી ક્ષત્રપાના શક–સંવત્સરની આદિ પણ તેજ સમયથી કરવામાં આવી છે વિદ્વાનેાએ આ બન્ને પ્રસ ંગને–કુશાન અને ચણ સંવતના પ્રારભને, ઈ. સ. ૭૮ માં થયાનું ગણાવ્યું છે. જ્યારે મેં અનેક પુરાવાને અંગે જે નીચે જણાવવામાં આવ્યા છે, તેને સમય ઇસવી સન ૧૦૨ ના ઠરાજ્યેા છે. અલબત્ત, એટલે દરો બરાબર છે કે, આ બન્ને પ્રસંગાના સમય૨ ઈ. સ. ૧૦૩ માં નાંધી શકાય તેમ છે, પરંતુ તેમ થવાનાં કારણો જુદાં જુદાં સમજાય છે માટે તે ખન્નેનેં, એકજ શક ન માની લેતાં બન્નેને ભિન્ન ભિન્ન નામે ઓળખાવવાની જરૂર લાગે છે, એટલે કુશાન અને ચણ સંવત એમ નિરનિરાળાં નામે તેને ઓળખીશું. જો કે નામ જુદાં દઇએ છીએ-પરંતુ ઇતિહાસના આલેખનની દૃષ્ટિએ આંકની ગણત્રીમાં કૅ બનાવાની તે કરવામાં, એકને બદલે ખીજું નામ વપરા જવાથી કાંઈ જાતનેા વિરાધાભાસ થતા નજરે પડતો નથી, એમજ સમજી લેવું રહે છે. હવે તેની ઉત્પત્તિના સમય વિશેની વિચારણા પ્રથમ કરી લઇએ. તેમના શકના કર્તા વિશે સમય–કાળ ગણના માટેની પદ્ધતિ વિશેની માહિતી આપતાં આ પુસ્તકના આઠમા ખંડે બે (૨) કદાચ એક બે વરસનું અંતર ઠરાવવું હોય તા હરાવી શકાય તેમ છે. પરંતુ તેમ કરવા જતાં અન્ય મુશ્કેલીએ ઉભી થવાના સભવ છે તેથી હાલ એક જ સમય હાવાનું જણાવવું ઠીક લાગ્યું છે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy