SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ક્યા કારણથી પરદેશીએ હિંદ ઉપર ચડી આવવાને ખડે પગે તૈયાર થઈ રહ્યા હતા. અને એ તે સિદ્ધાંત છે કે દારૂગોળા જ્યાં તૈયાર પડી રહ્યો હોય, ત્યાં માત્ર એક ચિણગારી લગાડવાની કે તે ઊંડીને અડવાની જ રાહ જોઇ રહે વાતી હોય છે, એટલે હિંદની આંતરિક વ્યવસ્થા કે સ્થિતિ । અનુકૂળતા સાંપડતા જ, તેઓએ પેાતાનું કાર્ય આરંભી દીધું જણાય છે. આવી એક તક, સમ્રાટ પ્રિયદર્શનના મરણ બાદ તુરત જ તેના સતાનામાં પ્રવેશેલા દ્વેષાસિરૂપી કુસુપે પૂરી પાડી હતી; અને તેવી જ ખીજી તક, શુંગવંશી અમ્લના અંતમાં, તે રાન્નના ભાગવિલાસ અને વ્યભિચારી આચરણને લીધે ઉત્પન્ન થયેલ પ્રજાના અસાથે પૂરી પાડી હતી. આ રથળેઆ પરિચ્છેદમાં મૌર્ય વંશની જ હકીકત આલે. ખત હાવાથી પ્રથમની તકનું વર્ણન કરવામાં આવશે; જ્યારે બીજી તકનું વર્ણન શુંગવંશના રાજ્યવિસ્તારનું વૃત્તાંત લખવાનો સમય આવી પહેાંચે ત્યાં સુધી મુલતવી રાખવું પડશે. હવે માત્ર એક વસ્તુસ્થિતિ ઉપર લક્ષ દારીને મૂળ બાબત ઉપર પાછા આવી જઈશું. અત્યાર સુધી હિંદી રાજાએ એક જ ધારણ અખત્યાર કર્યે રાખ્યું હતું. તદનુસાર વિજય મેળવેલ જમીન ઉપર તેના પૂના રાજકર્તાને જ પુનઃ સ્થાપિત કર્યે જતા! પણ જો તે રાજકર્તા કે તેના કાઈ હકદાર નીકળી ન આવતા, તે તે પ્રદેશ ખાલસા કરી પોતાના રાજ્યમાં ભેળવી ક્ષેતા. તે ધારણ હવે બદલાવા લાગ્યુ` હતુ', કેમકે વિજય મેળનાર જ્યારે પરદેશી હોય, ત્યારે તેને તે પાતાની વસાહત કરવા માટે જમીન જોઇએ જ; એટલે તે પાતે તા જ તેલા પ્રદેશના રાજવીને ઉઠાડી મૂકીને પોતાને જ કરી લેતા, અને વિજય મેળવનાર હિંદી રાજા જો હોય તો, કાંઈક પૂના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજ્યવિસ્તાર ૧ સંસ્કારને લીધે ભૂમિ ખાલસા કરી લેવાની ઇચ્છા પ્રથમમાં ન રાખે; પણ સ ંગતિ દોષથી માણસ શું શું નથી કરતા? એટલે તે પણ પોતાના પરદેશી ભાઇબંધ-પાડાથી રાજા–ની પેઠે જમીન ખાલસા કરી લઇ પેાતાના રાજ્યમાં હાયાં કરી જવાનું પગલું ભરતા દેખાયા છે. મૂળ વિષય તરફ આવતાં જણાવવાનું કે, સમ્રાટ પ્રિયદર્શિનના મરણબાદ તેના 'શોમાં આપસઆપસમાં વૈરવૃત્તિ તથા એક બીજાની ચડતી સહન ન કરવાની મનેાદશા, ઇત્યાદિ જે દુર્ગુણા ઉદ્ભવ્યાં હતાં તેને લીધે તેમાંના અનેક જણાએ પોતપોતાની સ્વતંત્રતા ધારણ કરી લીધી હતી. પરિણામે એક વખત જે મૌ સામ્રાજયની હદ, હિંદ બહાર વિસ્તરેલી હતી તેના ખે ભાગલા પડી ગયા. હિંદ બહારની હદ હતી તેના ધણી તે તે પ્રદેશના પરદેશી થઇ પડયા અને હિંદમાં જે જે પ્રાંતા ઉપર જે જે રાજ્યકર્તા કે સૂબાઓ નીમાયા હતા, તે તે તેઓએ પચાવી પાડયા. એટલે પ્રિયદર્શિનના સીધા વારસદારના હિસ્સામાં તે માત્ર નામના જ પ્રદેશ રહેવા પામ્યા; અને આ પ્રમાણે તે પોતે નબળા પડતાં, પાસેના જ પ્રતાપી અને પરાક્રમી રાજાના પંજાના ભાગ થઇ પડવાના તેના વારા આવી લાગ્યા. આ પ્રમાણે આખુયે મૌર્ય સામ્રાજ્ય ટૂંક સમયમાં જ છિન્નભિન્ન થઈને અદૃશ્ય થવા પામ્યું હતું, જેનું વર્ણન ઉપરના પરિચ્છેદે સવિસ્તર લખાઇ ગયું છે, એટલે અહીં' તે પાછું ઉતારવાની આવશ્યકતા રહેતી નથી. ઉપરમાં જે બે તક પરદેશીઓને લાધ્યા બાબતના ઇસારા કરી ગયા છીએ, તેમાંની પ્રથમ તક-મૌયવંશી રાજ્યકર્તાઓના સમયે-જે મળી હતી, તેનુ વર્ણન સમાપ્ત થયું ગણાશે. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy