________________
પરિચ્છેદ ]
પડતીનાં કારણે
પણે રાજ્ય કરતાં હતાં તેમાં અંધ્રપતિ જે સૌથી વધારે પરાક્રમી, જોરદાર અને ભારે માથાને હત તે પ્રથમ તદ્દન સ્વતંત્ર થઈ ગયો અને ચેલા, પાંચા, કદંબ, કેરલપુત આદિ અર્ધ સ્વતંત્ર રાજ્ય જે મૌર્ય સમ્રાટની જાતિને ભાયાતે જ હતા, તેઓને આ અંધ્રપતિની સ્વતંત્રતાને ચેપ લાગવાથી તેઓએ પણ, આવેલ પ્રસંગને લાભ લઈ પિતાપિતાની હદમાં સ્વતંત્ર થઈ જવા માંડયું. તેમના મનમાં બીજી એક
નિર્ભયતા એ હતી કે તેઓ અવંતિપતિની હદથી એટલા બધા દૂર આવેલા છે કે ત્યાં સુધી અવંતિપતિ આવી પણ નહીં શકે, અને કદાચ આવવા પ્રયત્ન કરશે તે પણ પ્રથમ તે તેને, વચ્ચે આવેલ પ્રદેશના મહાપરાક્રમી એવા શતવહન વંશી સાથે જ યુદ્ધમાં ઉતરવું પડશે; અને તેને હિસાબ પતાવી દીધા પછી જ પિતાને વારો આવવાને છે. ત્યાં સુધી તે અનેક વર્ષો વીતી જશે અને કેટલું ય પરિવર્તન થઈ જશે.
હત પણ મિનેન્ડરના મૃત્યુ પછી હિંદમાં કઈ તેને વારસદાર ન રહેવાથી, પોતે જ મહાક્ષત્રપ બની, આ સર્વે મન ઉપર પોતાનો રાજ્ય અમલ સ્થાપી રાજ્ય કરવા મંડ હતો (જુઓ પરદેશી આક્રમણકારો અને ક્ષત્રના પ્રકરણ નીચેની હકીકત) અથવા બીજી રીતે પણ આ સ્થિતિ ઉદ્ભવી હોય એમ વિચારી શકાય છે. તે એવી રીતે, કે ભૂમક પતે જ શકાનમાંથી ઉતરી આવેલ પ્રજાને સરદાર હોય, પણું ઉપરમાં અનુમાન દેરી બતાવ્યો છે તેમ બેકટ્રીઅન પ્રજાને કે ડિમેટ્રોસને સરદાર ન પણ હોય. એટલે કે ત્યાં પડપાથર્યો બધી રાજકીય સ્થિતિ નિહાળી રહ્યો હોય, અને જ્યારે ઉત્તર હિંદમાં બેકટ્રીઅન સરદાર મિનેન્ડરનું મરણું થયું અને તેને કઈ વારસદાર ન રહ્યો એટલે જેમ તેના બીન સરદાર, જેવાકે સંડાસનો પિતા રાજીવુલ વિગેરે મહાક્ષત્રપ બની બેઠા હતા તેમ આ બાજુ ભૂમકે પણ પિતાને આ પ્રદેશને ( ભિન્નમાલવાળો પ્રદેશ જે હાલના જોધપુર અને શિરોહી રાજ્ય તથા રાજપુતાનાને ભાગ ગણાય છે તેને ) મહાક્ષત્રપ જાહેર કરી દીધે હોય.આ પ્રમાણે એક ચિત્ર મારા મનમાં ખડું થયું હતું, પણ તેની વિરુદ્ધમાં બે કારણે મળતાં તે વિચાર પડતો મૂકવો પડયો છે અને ઉપર જણાવેલ નિર્ણય ઉપર જ આવવું પડયું છે. જે બે કારણે હતાં તે આ પ્રમાણે (૧) ભૂમક અને નહપાણના સિકાના અક્ષર સહરાટની લિપિને મળતા આવે છે, અને ક્ષહરાટ ભાષા તે બેજ પ્રદેશની હેવાનું આપણે જીવી ગયા છીએ (સરખા પાણિનીના સમયની ભાષા
વિગેરેની સમજુતિ પુ. ૧, પૃ. ૨૯ તથા પુ. ૨. પૃ. ૨૭) એટલે તે શકઝન કરતાં ક્ષહરાટ હોવાને વિશેષ સંભવ છે. (૨) મહાક્ષત્રપ રાજુલની પટરાણુએ મથુરાના સિંહ સ્તુપ (Lion-illar) ની પ્રતિષ્ઠા સમયે બધા સરદારનું સંમેલન કેવું હતું અને તેમાં પ્રમુખ તરીકે ક્ષત્રપ નહપાને (ભૂમક મહાક્ષત્રપના તેમજ ક્ષહરાટ પ્રજાના પણ પ્રતિનિધિ તરીકે) નિયુક્ત કર્યો હતું. આ પ્રમાણે કયારે બને કે સર્વે એક જ પતિની પ્રજ હોય તે, નહીં કે ભિન્ન ભિન્ન; એટલે માની લેવું જ રહે છે કે ભૂમક પતે ક્ષહરાટ પ્રજાને સરદાર હતું અને તેથી જ દેશના જ વતની હોવી જોઈએ. અને જે તેટલું નક્કી થયું તે પછી દેખીતું જ છે કે તેને અને ક્ષહરાટ મિનેન્ડરને પણ રાજકીય સંબંધ હોઈ શકે. એટલે પછી એ જ અનુમાન દરવું પડે છે કે ડિમેટીઅસ અને મિનેન્ડર જ્યારે હિંદમાં આવ્યા ત્યારે તેમની સાથે જ ભમક પણ આવ્યો છે જોઈએ, અને જેમ તેમણે અન્ય સરદારને અમુક પ્રાંત ઉપર નિયુક્ત કર્યા હતા તેમ આ ભૂમકને પણ ભિન્નમાલ પ્રદેશ ઉપર (મધ્યદેશ ઉપર) નિયત કર્યો હતે. (આ હકીકતને ભૂમકના ચરિત્ર ઉપરથી તથા તેણે વાપરેલ સંવતસરથી સમર્થન મળે છે. જુઓ આગળ ઉપર તેનું વર્ણન)
(૩૦) સરખા આ વસ્તુસ્થિતિ સાથે પુ. ૧, પૃ. ૩૧૩ ઉપરની હકીકત, જ્યાં મગધપતિથી કલિંગપતિ અને દક્ષિણનાં નાનાં નાનાં રાજે સ્વતંત્ર કેમ થઈ ગયાં હતાં તે હકીક્ત દર્શાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com