SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ રૂષભદત્તને [ દશમ જુનેર, કાર્લા, નાસિક, સપારા ઈત્યાદિમાં. વળી ઘણુંખરામાં સાલ પણ માંડેલ છે. તેને અંક ૪૦ થી ૪૫ અને ૪૬ સુધીનો છે. તે સર્વ આંકને ક્ષહરાટ ભૂમક અને નહપાણને સંબંધ છે એમ પણ આપણે પુરવાર કરી ગયા છીએ, એટલે તેણે પિતાના શ્વશુર પક્ષ સાથે જોડાઈને યુવાન અવસ્થામાં જ રાજકીય કારકીર્દીનો આરંભ કર્યો હતા એમ જણાય છે. તેથી મિ. રેસન સાચું જ કહે છે કે “Apart from the two places ( Prabhas and Pushkar ) which were under the direct control, probably both within Nahapana's dominions but not under the direct control of Rishabhadatta: the inscriptions at Nasik and Karle seem to show that hetruled as Nabapana's viceroy over S. Gujarat and the Northern Konkan from Broach to Sopara and over the Poona and Nasik districts of the Mahratecountry=પ્રભાસ અને પુષ્કર- નામની બે જગ્યા જે ઘણું કરીને નહપાણના રાજ્યમાં જ અને તેની સીધી હકુમતમાં હતી પણ રૂપભદત્તની સીધી દેખરેખમાં નહોતી તે સિવા. યના, નાસિક અને કાના શિલાલેખોથી સાબિત થાય છે કે, નહપાણના પ્રતિનિધિ તરીકે તે (રૂષભદત્ત) દક્ષિણ ગુજરાત, ભરૂચથી સોપારા સુધીનો ઉત્તર કાંકણુ પ્રાંત તેમજ મરાઠા પ્રદેશના પુના અને નાસિક જીલ્લાઓ ઉપર રાજ્ય ચલાવતે હતો.” એટલે તેમનું કહેવું એમ છે કે, નહપાણના સમયે જ રૂષભદત્ત ગુજરાત, કણ અને પુના જીલ્લાવાળો ભાગ છતી લઈને તે ઉપર સત્તાધિકાર ભોગવ્યો હતો, પણ પ્રભાસ (સૌરાષ્ટ્ર) અને પુષ્કર (અજમેરની પાસે) ના પ્રદેશ ઉપર રૂષભદત્તની સત્તા નહતી. ત્યાં તે નહપાણની પોતાની જ દુવાઈ ચાલતી હતી. ગમે તેમ હતું. અહીં આપણે નહપાણ કે રૂષભદત્ત-એકેની છત વિશેના કે રાજસત્તાના હકુમતવાળા પ્રદેશના બારિક ભેદની મિમાંસામાં ઉતરવાનું પ્રયોજન નથી. પણ અત્રે તે જણાવવાનું એટલું જ છે કે મહાક્ષત્રપ ભૂમકને જે રાજ્યવિસ્તાર ગાદીએ બેસતાં મળ્યો હતો તેમાં નહપાણે તથા રૂષભદત્તે ઘણો (ઉપર જણાવેલ સ્થળની ભૂમિને) વધારો કરી લીધો હતે. અને તે જીત મેળવવામાં જે પરાક્રમ તથા વીર્ય રૂષભદત્તે ફેરવ્યાં હતાં તેને યશ જો કે તેને ખાતે ચડાવી શકાય ખરો; છતાં તે સમયે તે સર્વસત્તાધારી રાજકર્તા ન હેવાથી, જેમ અનેકના કિસ્સામાં ઉપર બની ગયું છે તેમ, આ રૂષભદત્તની બાબતમાં પણ માત્ર નોંધ લઈને જ અટકવું પડે છે. પરંતુ ભૂમકની પછી ગાદીએ આવનાર તરીકે તે સર્વ મુલક, નહપાણને મળેલ. તે બાદ તેમાં પોતે અવંતિ દેશ જીતીને જે વૃદ્ધિ કરી હતી તે અવં. તિને પ્રદેશ, તેના મૃત્યુ બાદ, જે પુરૂષ અવંતિપતિ થયો હતો તેના હિસ્સે ચાલ્યો ગયેલ હતે. એટલે ૪રૂષભદત્તના ભાગે તે, ભ્રમક મહાક્ષત્રપના સામ્રાજ્યને વિસ્તાર જ લા હતા. તેમાં કાંઈ વધારે કરવા જેવું સ્થાન કે અવકાશ તેના માટે રહ્યાં હતાં નહીં, કેમકે તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર જ એટલી બધી મોટી થઇ ગઈ હતી કે, કોઈ પ્રદેશ જીતવા માટે યુદ્ધ કરી (૪૬) જૂઓ કે, આ. કે. પ્રસ્તાવના પૃ. ૫૭. (૪૭) જુએ છે. ઍ. પૂ. ૭૫, ૪૪ તથા જ. જે. એ. સે. ૧૯૦૫, ૫. ૨૩૦. (૪૮) રાજ્યપ્રાપ્તિ સમયે તેની ઉમર ૮૫ વર્ષ લગભગની હતી. જુઓ પૃ. ૩૬૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy