SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મૌર્ય સામ્રાજ્ય [ ષષમ આક્રમણ કિયા''—૨૨ એંટીઓકસ ધી ગ્રેઈટે, ગાંધારકે રાજા સુભાગસેનકે સાથ ઈ. સ. પૂ. ૨૦૬ મેં યુદ્ધ કીયે, શીધ્ર હી દોને રાજાઓમેં પરસ્પર સંધી છે ગઈ , ૨૩“રાજા સોફાગ- સેનસસે અપની મિત્રતા ફીર સ્થાપિત કી, છતને હાથી પ્રાપ્ત કિયે કિ ઉસકે કુલ હાથીઓંકી સંખ્યા ૧૫૦ હે ગઈ પીછુ એંટીઓકસ વાપસ લૌટ ગયા ”—આ ઉપરથી સમજાશે કે બેકટ્રીઅન સરદારે જે ભારતવર્ષ ઉપર આક્રમણ કર્યું હતું, તે બે વખતનું હતું, પ્રથમના સમયે કાંઈક અંશે તે સફળ થયો ન થયો જેવી સ્થિતિ હતી, પણ બીજે વખતે તે સંપૂર્ણ વિજેતા થયે હતો; અને રાજા સુફાગસેનને સંધી કરવાની ફરજ પડી હતી, કે જેની રૂઈએ તેને યવન સરદારને દોઢસે હાથી દેવા પડ્યા હતા અને તે લઈને યવન સરદાર પિતાના મુલકે પાછો સીધાવ્યું હતું. વળી જાલૌકે પિતાના સૈન્યને બળથી આ લશ્કરના હુમલા પાછા હઠાવ્યા હતા. તેમજ તેણે કાશ્મિરમાં રાજ્ય પણ સ્થાપ્યું હતું અને ધીમે ધીમે આગળ વધીને, કાન્યકુબજ સુધી પિતાને પ્રદેશ પણ વિસ્તાર્યો હતો; આટલા વિવેચનથી સ્પષ્ટ થાશે કે મૌર્ય સામ્રાજ્યની પડતીનાં કારણમાં રાજ- કુટુંબમાં જે બે ભાગલા પડી ગયા હતા તે પ્રસંગેજ મુખ્યપણે છે તેમાંને (૧) સુફાગસેન યુવરાજવાળો અને (૨) કુમાર જાલૌક કાશિમરપતિવાળો-તેજ બે બહુધા જવાબદાર હતા; નહીં કે મહારાજા પ્રિયદર્શિનની ધમ્મ-વિજયની અને ધમ્મસહિષ્ણુતાની નીતિભાવના અથવા તો પ્રજા અને સન્યમાંથી નીકળી ગએલ હિંસક- ભાવના. ખરી રીતે તે ભાવનાએ તે સંગઠ્ઠન કરીને સર્વને એકત્રિત બનાવી દીધા હતા; કે જેનો જીવતો જાગતે પુરા મહારાજા પ્રિય- દર્શિનના સમયને મૌર્ય સામ્રાજ્યને અજોડ એ અતિ વિસ્તારવંત પથરાવો છે કે જેનો ચિતાર આપણને તેમની કૃતિરૂપે દાંડી પીટી બુલંદ અવાજે જાહેરાત કરનારા શિલાલેખોમાંથી મળી આવે છે. હવે આપણને ખાત્રી થઈ છે કે સામ્રા જ્યની પડતીમાં બેજ કારણે કારણોની હતાં (૧) રાજકુટુંબમાં વિસ્તારથી પડેલ ભાગલા અને (૨) તપાસ ધમ્મવિજયની અને ધર્મ હિષ્ણુતાની ભાવનાને થવા માંડેલ અભાવ; આ બન્ને કારણે કાંઈક વિસ્તારથી આપણે તપાસી જોવાની જરૂર છે. આવડું મોટું અને જબરજસ્ત મૌર્ય સામ્રાજ્ય કે જે એક વખતે ગમે તેવા બાહુબળી અને ભલભલા દુશ્મનને પણ ગર્વ ગળાવી નાંખી પોતાના પગ પાસે શીર ઝુકાવતું કરવાને સામર્થ્યશાળી હતું, તે સામ્રાજ્યનો જેમ કોઈ પાકા ચણતરનું અને જેમાંથી એક કાંકરી સરખી, સેવર્ષે પણ ખરી ન પડે તેવું મજબૂત મકાન હોય, તે જેમ કેવળ થોડી સેકંડમાં ધરતીકંપ થવાથી એકદમ આંચકો લાગી જમીન સપાટ થઈ જાય છે તેમ આ સામ્રાજ્યનો ) અચાનક માત્ર ૨૦-૨૫ વર્ષમાં જ લેપ થઈ ગયો છે અને કહે કે જાણે પૃથ્વીની સપાટી ઉપર તેનું કોઈ દિવસ અસ્તિત્વ પણ હશે કે કેમ તેની સાબિતી પણ જડી આવવી ભારે વિકટ સમશ્યારૂપ થઈ પડી છે–એટલું હજુ ગનિમત લેખ અને દુઆ દો મહારાજ પ્રિયદર્શિનને કે જેણે પોતાના દરેક સામાજીક અને મનુ ધ્યને ઉપકારી નીવડે તેવાં સુકાર્યને યાવચંદ્ર દિવાકરીની પદ્ધતિએ સંરક્ષિતપણે સાચવી રાખવાની કાળજી બતાવી છે તથા તે સર્વ હકીકતને (રર) મ. સા. ઈ. પૂ. ૬૫૭. (૨૩) તેજ પુસ્તક પૃ. ૬૫૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy