SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] ઈન્ડે સિથિયની સમજ ૩૨૯ --- - -- -- -- ઉપર ચાર રાજસત્તાને અમલ થવા પામ્યો છે. (૧) ગભીલવંશી (જે અત્યારસુધી ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ થયેલ નથી પણ આ ત્રીજા પુસ્ત- કના અંતે તેમનું જીવન આળેખીશું) (૨) અને આંધ્રવંશી-સાતકરણ રાજાઓઃ આ બે હિંદી રાજસત્તાઓ છે જ્યારે બીજી બે અહિંદી રાજ સત્તાઓ છે; જેમકે (૩) શક જાતિના (Indo- Scythians) રૂષભદત (જે નહપાણને જમાઈ થાય છે તથા જેનું નામ નાસિકના શિલાલેમાં મશહુર થયેલ છે) ને વંશ અને (૪) ચકણને વંશઃ અહીં આપણે હિંદી રાજવંશને તે બાતલ રાખવાને છે; કેમકે શાહવંશી રાજાઓનું વતન હિંદ બહારનું હોવાનું જણ- વાયું છે. એટલે બે અહિંદી રાજસત્તાને જ વિચાર કર રહે છે. તેમાં વળી ચકણવંશને ત્યજી દેવો રહે છે, કેમકે ઉપર જણાવી ગયા પ્રમાણે શાહ રાજાઓ ચકણુવંશથી જુદા પડી જાય છે. આમ એક પછી એકને બાદ કરતાં જતાં, બાકી રહ્યો માત્ર એક જ વંશ; અને તે છે નહપાના જમાઈ રૂષભદત્તને. એટલે નિર્વિવાદિતપણે કહી શકાશે કે, તે શાહી રાજાઓ બીજા કઈ જ નહીં, પણ રૂષભદત્તના વંશજો અને વારસદારે જ છે. વળી તેની ખાત્રી પણ આપણને નીચેનાં પ્રમાણોથી મળી આવે છે. (1) શાહ રાજાઓનાં પ્રથમ પુરૂષનું નામ મિ થેમા- સના જણાવ્યા પ્રમાણે ( જુઓ ટીપણ નં. ૧૬ માં તે સર્વેનાં નામે) ઈશ્વરદત છે; જ્યારે નહપાના જમાઈનું નામ ઉષભદાન અને પાછળથી રૂષભદત્ત થયાનું આપણને જણાયું છે. વળી આ રૂષભદત તથા તેને સાસરે નહપાણુ (જુઓ તેના સિક્કા તથા જીવનવૃત્તાંત) તેમજ સર્વે ક્ષહરાટ ક્ષત્રપ જૈન ધર્મ પાળતા હતા. વળી જૈન ધર્મના આદિ ધર્મપ્રવર્તકનું નામ આદીશ્વર અથવા રૂષભદેવ છે. તેમ હિંદુઓમાં પિતાના ધર્મ પ્રચારક પુરૂષને-ઈષ્ટદેવને-ઈશ્વર તરીકે જ હંમેશાં મનાય છે. એટલે પિતાના ધર્મ ગુરૂના અનુયાયી તરીકે પિતાને તે રૂષભદત્તના કે ઈશ્વરદત્તના નામથી ઓળખાવે તે સ્વભાવિક જ છે. (૨) આ રૂષભદત્ત પિતે “શક' પ્રજાને ખાનદાન ગૃહસ્થ હેવાનું જણાવે છે.૨૦ વળી આ શક પ્રજા કેટલાય કાળથી હિંદમાં આવીને વસેલી હોવાથી તેઓ ઈન્ડો-સિથિઅન્સ કહેવાતા; જયારે જે અસલ હતા તે પિતે સિથિઅન્સ કહેવાતા. આ સિધિઅને પિતાને “શહેનશાહી"=૨૧ શાહી પ્રજાના શહેનશાહ એટલે કે શક પ્રજાના સર્વે નાના મોટા જમીનદારના ઉપરી તરીકે લેખાવતા; જેથી તેની સરખામણીમાં, આ રૂષભદત્તને વંશ પિતાને “શાહી” નામથી કે ટૂંકુ નામ “શાહ” કહીને ઓળખાવે તેમાં નવાઈ પામવા જેવું કે શંકા ઉઠાવવા જેવું (૧૯) અથવા ઈશ્વરદત્તને રૂષભદત્તના પિતા તરીકે ગણવો હોય તે પણ બંધબેસતું આવે છે, કેમકે રૂષભદત્તના પિતાનું નામ દિનિક જણાવ્યું છે. એટલે તે નામ કદાચ ઈશ્વરદત્તને પાછલો ભાગ જે દત્ત તેનું અપભ્રંશ થઈને દત્તમાંથી દત્ત અને પછી દિનિક કે દત્તક થઈ ગયું હોય અથવા લિપિ ઊકેલનારની ભૂલ પણ થઈ હેય. (૨૦) જુએ નાસિકને શિલાલેખ નં. ૩ર (કે. આ. કે. પ્રસ્તાવના પૃ. ૫૮). (૨૧) અવંતિપતિ ગભીલને હરાવવા કાલિકસૂરિ નામે જેનાચાર્યે સિંધની પેલી પાર જઈને જે થક પ્રજને પોતે તેડી લાવ્યા હતા તે શહેનશાહે શાહી જ કહેવાતા. આ વિશેનો આધકાર ગર્દભીલ વંશના વૃત્તાંતમાં જણાવવામાં આવશે. મતલબ કે, રાહેનશાહ=King of Kings તે ઈરાનને રહેનશાહ અને શહેનશાહે શાહી એટલે શિસ્તાન પ્રાંતમાં વસતી શક પ્રજને શહેનશાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy