________________
પરિચ્છેદ ].
સમય
૩૦૧
હિસાબે ૭૫ ને આંક લેખ સુસંગત અને સુઘટિત ગણશે ત્યારે વળી પ્રશ્ન એ થાશે કે મિ. સ્મિથ જેવા વિદ્વાને ૭૮ ની સાલ શામાટે ગ્રહણ કરી હશે? તેમને શું શું કારણે મળ્યાં છે તે તેમણે જણાવ્યાં નથી અને જણાવ્યાં હેય તે મારા વાંચવામાં આવ્યાં નથી. પણ એમ માનવાને કારણ મળે છે, કે હિંદમાં ચાલતે શકસંવત જે સાથે ૭૮ ને આંક જોડાય છે અને તેના પ્રવર્તાવનાર તરીકે આ અઝીઝને મનાતે હત-અથવા મનાયો છે તે હિસાબે અઝીઝના રાજ્યની શરૂઆત અથવા તેની પૂર્વેના મોઝીઝના રાજ્યને અંત, ૭૮ માં કરાવી દેવા હેય. પછી તો એકે કહ્યું એટલે બીજાએ સ્વીકારવું રહે, તેમ ગતાનુગતિક ક્રમે તે ચાલ્યો આવ્યો હોય. પરંતુ તેમ બની શકવું જ તદ્દન અશક્ય છે. પ્રથમ તે અઝીઝ એ શક્તિશાળી જ નવો નથી કે તે સંવતસર ચલાવવાને લાયક ગણાય. છતાં ન બનવાનું બની ગયાનું તેને લલાટે લખાયું હોય એમ માનીએ, તેય, આ સ્થિતિ કેમ કોઈ લક્ષમાં જ લેતું નથી કે, શકસવંતની સાથે ૭૮ ના આંકને અલબત સંબંધ તો છે જ, પણ તે ઈ. સ. ૭૮ છે, નહીં કે ઈ. સ. પૂ. ૭૮: અઝીઝને સમય તે ઈ. સ. પ. ૭૮ ને છે. જ્યારે શકસંવતની આદિ ઈ. સ. ૭૮ ની છે તે બે સમયની વચ્ચે ૭૮+૭૮=૧૫૬ વર્ષનું અંતર છે. એટલે આ વિષય પર તે વિચાર કરવાનું જ રહેતું નથી.
જેથી ૭૫ ને આંક વધાવી લેવાને સંજોગેનું સમર્થન મળે છે.
તે પછી જેમ મિ. સ્મિથના કથનને તપાસી જોયું તેમ કે, હી, ઈ. ના લેખકના કથનને શા માટે ન તપાસવું ? તેમણે સ્પષ્ટપણે તે કાંઈ નથી જ જણાવ્યું પણ તેમના લખાણના ગર્ભિત આશયથી હજુ તેમનું હૃદય વાંચી શકાય છે ખરૂં. એક ઠેકાણે લખ્યું છે કે-૪૧ (તેમની માન્યતા મેઝીઝ રાજા શક હોવાની છે જે અનેક વખત મેં ઉપર ટાંકી બતાવ્યું છે અને તે જ માન્યતાના આધારે હવે બતાવું છું કે તે કથને તેમણે જ ઘડી કાઢ્યા છે એમ સમજવું રહે છે) A few years later cir B. C. 75 there arose another formidable power on the west. The Scythians (Sakas) of Seistan bad occupied the delta of the Indus= બાદ થોડા વર્ષે, આશરે ઈ. સ. પૂ. ૭૫ માં પશ્ચિમે એક બીજી પરાક્રમી (ભયંકર) સત્તાનો જન્મ થયો હત; શિસ્તાનના (શકે) સીથીઅનોએ સિંધુ નદીને દુઆબ લઈ લીધે હતેઃ તેમની કહેવાનો મતલબ એ છે કે ઈ. સ. પૂ. ૭૫ માં શક પ્રજાને ઉદય રાજા મઝીઝની આગેવાની નીચે થવા પામ્યો છે. તેમ બીજે ઠેકાણે, પાતિકવાળા તામ્રપત્રમાં લખાયેલા ૭૯ ના આંકની ચર્ચા કરતાં તેમણે જણાવ્યું છે કે If so, the inscription would be cir, 72 B. C. a year which may well
(૪૫) કેઈકે વળી આ અઝીઝ પહેલાને બદલે અઝીઝ બીજાને તે સંવસરના સ્થાપક તરીકે લખ્યો છે: પણ તેના સમય સાથે ૭૮ ને આંકજ જ્યાં નથી ત્યાં તે પ્રશ્ન આપોઆપ જ ઉડી જાય છે. છતાં તેના જીવનવૃત્તાંતમાંથી બીજી સાબિતી મળી શકે છે કે સંવતના
સ્થાપક જેટલા તે ગુણ ધરાવતે નહેઃ
(૪૬) જુઓ કે. હિ. ઇ. પૃ. ૫૩૨: (૪૭) જુઓ કે. હિ. ઈ. પૃ. ૫૭૦ (૪૮) જુએ પૃ. ૫૫૪૬ તથા પૂ. ૬૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com