SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ મેઝીઝ [અષ્ટમ રવા માટે. ખરી વાત એ છે કે, રાજદ્વારી પરિસ્થિતિ બગડતી અટકાવવા માટે પણ કોઈ કઈ વખત સ્વતંત્ર અમલદાર નીમવાની જરૂરિયાત ગણાય છે જ. પણ તેવા પ્રસંગે મોટા ભાગે શાહી કુટું બના નબીરાની કે એકદમ અંગત ખેતીની જ ગોઠવણ કરવામાં રાજકીય ડહાપણ સમાયેલું પીછાનાય છે. આ મેઝીઝને તે સંબંધ કાઈ પ્રકારે શાહી કુટુંબ સાથે હતું કે કેમ તે જણાયું નથી. એટલે તેવી માહિતીના અભાવે આપણે વિશેષ શેર માનવું રહે છે કે તેને શાહી કુટુંબ સાથે સંબંધ નહતો, છતાં ધારે છે તે કડક સ્વભાવને હશે અને તેથી મજબૂત હાથે કામ લઈ પરિસ્થિતિને એકદમ પહોંચી વળવાને સમર્થ હશે એમ વિચારી તેને ગોઠવવામાં આવ્યો હશે તે તેની વિરૂદ્ધમાં પણ બે કારણે જતાં દેખાય છે. એ કે (એક) જે તેવો શક્તિશાળી પુરૂષ તે હેય તે, પરિસ્થિતિ અંકુશમાં લેવાનો પ્રયન કરવા કરતાં તે તે ભૂમિને પિતા માટે જ મેળવી લઈ સ્વતંત્ર ગાદીપતિ બની જવાને જ લોભ તે સેવે અને બીજું) એ કે, પરિસ્થિતિ સાચવી લેવા માટે હમેશાં હાથના કાંડાના શેર કે પરાક્રમ કરતાં વિશેષમાં તે બુદ્ધિકૌશલ્યની- કાબેલિયતની-રાજપટુતાની જરૂર રહેલી ગણાય. અને તે માટે ઉપરનો પ્રશ્ન પણ વિચાર જ રહે છે. તે આ સમયે કેટલી ઉમરે પહેઓ હશે તે નક્કી કરવાનું સાધન આપણે ધરાવતા નથી; પણ માનવાને કારણ રહે છે કે, તેને એકંદર અમલ અડધી સદી સુધી લંબાય છે એટલે સત્તાસૂત્ર ધારણ કર્યા હોય ત્યારે બહુ મોટી ઉમ્મરને નહીં જ હેય-(આ મુદ્દો તે રાજ (૨) વિશેષ અશે એટલા માટે લખવું પડયું છે. કે બીજી કેટલીક પરિસ્થિતિ વિચારતાં રાજકુટુંબ સાથે તેને સંબંધ હોય એમ પણ માનવું રહે છે. જુઓ કુટુંબ સાથે લોહીગ્રંથીથી જોડાયેલ હોય એમ અનુમાન કરવા તરફ લઈ જાય છે, છતાં મનુષ્યના આયુષ્યની હદનું કોઈ પ્રમાણ નિશ્ચિત થયેલ ગણાતું નથી એટલે તેની નિમણુક કરતી વખતે તે આધેડ વયનો-ચાળીસ વર્ષ વટી ગયાનો પણ હેય. કહેવાનું તાત્પર્ય એ છે કે, બને બાજુ ધારવામાં, થોડાં થોડાં કારણો તરફેણનાં તેમ જ વિરૂદ્ધનાં નજરે તો પડે છે જ. એટલે નિશ્ચિતપણે કાંઈ કહી શકાતું નથી. પણ દરેક મુશ્કેલીને અંત આવે, અને સાથે સાથે આપણે દરેલી કલ્પના પણ સહીસલામત પાર ઉતરી જાય તે માટે એમ ધારી લઈએ કે, તે પાર્ટી આના રાજકુટુંબ સાથે સગપણ સંબંધ ધરાવતે હતું, અને તેથી ભરયુવાનીમાં અથવા તે પચીસથી ત્રીસ વર્ષની ઉમર હોવા છતાં તેની નિમણુક મિગ્રેડેટસ ધી ગ્રેઈટના રાજઅમલે કરવામાં આવી હતી. એટલે કે, તે સમયે તે માત્ર વહીવટ કરવાના હેતુસર જ તે પ્રાંત ઉપર તેને ગોઠવ્યો હતો, પણ ત્યાં ક્ષત્રપ તરીકે થોડાં વર્ષ તે રહ્યો હશે તેવામાં, મિથ્રેડેટસનું મરણ થતાં અને નબળા ભૂપતિઓ શહેનશાહ બનતાં, ભેડા વર્ષ પૂર્વે જ છતાયેલી તે શક પ્રજાએ જ્યારે સ્વતંત્ર થવાને બળ જગાડે હતું ત્યારે તેણે જ પિતાના રાજકુટુંબને વફાદાર રહીને અને તે પ્રાંતના ક્ષત્રપ તરીકેના રાજવહીવટદારને પિતાને નેક જાળવવાને, સખ્ત હાથે કામ લીધું હતું તથા બધે શાંતિ સ્થાપી દીધી હતી. આપણી આ માન્યતાને, તેણે ઉત્તર જીવનમાં બતાવેલાં વર્તનથી સમર્થન પણ મળે છે. સઘળા સંયોગ જે ઉપર પ્રમાણે સાબિત થતા લેખાય છે તેની નીચેની ટી. નં. ૩. (૩) સરખા ઉપરની ટીક નં. ૨ તથા તથા તેના ઉત્તર છવનનું વૃત્તાંત. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy