SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ સંસ્કૃતિ [ પંચમ અર્થમાં, કદી પણ ધર્મ શબ્દ મેં વાપર્યો નથી. તેમ પ્રાચીન સાથે તે પ્રમાણે ને અર્થ થતો હોય એવી મારી માન્યતા પણ નથી. તેની વ્યાખ્યા સ્પષ્ટપણે એકાદ શબ્દોમાં કે વાક્યમાં કરવી, તે અતિ દુધી કાર્ય હેઈને પ્રાચીન ભારત વર્ષ ના પુ. ૧ પ્રશસ્તિ પૃ. ૨૧ પારિ. ૩ માં તેને વિવેચનસહ સમજાવવા કાંઈક પ્રયાસ મેં કર્યો છે. એટલે હવે સમજાશે કે ધર્મ શબ્દને મારી માનીનતા પ્રમાણે, નથી કોઈ જાતિ વિષયક પ્રશ્નને સંબંધ કે નથી કોઈ પ્રકારની વિધિવિશેષને વળગાડ. તે પણ વૈદિકધર્મ એટલે વૈદિક સંસ્કૃતિ અને જૈન ધર્મ એટલે જૈનસંસ્કૃતિ: આવા સંક્ષિપ્ત સ્વરૂપમાં ધમ શબ્દનો ઉપયોગ મેં કર્યો છે એમ હજુ કહી શકાશે. ધર્મ શબ્દનું અને તેમાં રહેલ રહસ્થનું કાંઈક આછું દર્શન આ પ્રમાણે કરાવાયું છે. હવે આ સમયે પ્રવર્તી રહેલ બે ધર્મ૪૧ વૈદિક અને જૈનવિશેની માન્યતા વિશે જે કાંઈક હું સમજ્યો છું તેને ટુંકમાં ખ્યાલ આપીશ; જેથી વાચકને ખાત્રી થશે કે તેમાં કોઇને ઉતારી પાડવાનો કે કિંચિતપણે અપમાનિત કરવાને લેશ માત્ર પણ મારો હેતુ, ઉશકે આશય છે જ નહીં. મુખ્યતઃ વૈદિક ધર્મ તે બ્રાહ્મણધમ તરીકે જ હવે તે ઓળખાવવા લાગ્યા છે જયારે વાસ્તવિક રીતે વ્યુત્પત્તિના અર્થમાં ગણીએ તે વેદને આશ્રીને જે ધર્મની પ્રરૂપણ થઈ હોય તે વૈદિક ધમ: જે કે તે અર્થમાં પણ તે માન્ય રાખી શકાય તેમ તો નથી જ; જ્યારે સંસ્કૃત શબ્દ-કોશમાં બ્રાહ્મણ શબ્દની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે. “મના जायते शुगः, संस्कारे विज उच्यते । कर्मणा याति વિક, બારાત બ્રાહ્મg:* | =શુદ્ર તે જન્મથી જ હોય છે પણ) સંસ્કારવડે (યજ્ઞોપવિતજઈ મળતાં) તે દ્વિજ-(બ્રાહ્મણ)-કહેવાય છે? (પછી) કર્મ-કાંડ કરવાથી વિપ્રપણું પામે છે (અને) બ્રહ્મ(પરમાત્મા)નું જ્ઞાન મેળવવાથી તે બ્રાહ્મણ બને છે. મતલબ કે બ્રહ્મજ્ઞાન થવાથી જ એટલે કે આત્મા, (૪૧) જો કે ત્રણ ધમ ગણાવાયા છે વૈદિક, જન અને બેદ; પણ ત્રએ એટલે બૅદ્ધ ધમ, તે તે પાછળથી–એટલે કે વિવરણુના હજાર વર્ષમાંથી લગભગ ચાસે સાડાચારસે વ્યતીત થયા બાદ-ઉમેરાવે છે; એટલે તેની ઉત્પત્તિ સ્વતંત્રપણે થઈ નથી, આવાં બે કારણથી તેની ગણના અહીં કરી નથી. (૪૨) બ્રાહ્મણ તે તે ચાર વર્ગમાંના એક વર્ગનું નામ છે; જ્યારે ધમ તે જુદી વસ્તુ છે. ધમને અને વગને સંબંધ રો? તેમ બ્રાહાણ નામના પુરાણીક ગ્રંથ છે તે શબ્દ પણ આખા ધમની સંજ્ઞા તરીકે વાપરી શકાય નહીં. આ પ્રમાણે બને રીતે વિધિ આવે છે; છતાં તેને વર્તમાન કાળે બ્રાહ્મણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આગળ તેમ નહીં થતું હોય એમ લાગે છે, તેથી “ હવે ’ શબ્દ મેં વાપર્યો છે. (૪૩) ખરી રીતે તે આ શબ્દ પણ માન્ય રાખી ન શકાય, કેમકે જેને લોકો પણ વેદને તે માને છે. ખરી વાત છે કે, તેમના વેદ ગ્રંથે બને છે (તેમનાં નામ, ૧, સંસારદશન વેદ, ૨, સંસ્થાપન પરામર્શન વેદ. ૩. તરવાવબોધ વેદ અને ૪ વિદ્યાપ્રબોધ વેદક (જુઓ સાંનિધિ વિજ્યાનંદસૂરિ રચિત જેનતરવાદશ નીચેની ટીકા નં. ૪૫) એટલે સામાન્ય જનતા એમજ માનવા લાગી છે કે જેને લોકો વેદને માનતા નથી અને તે કારણે જ જૈનેને નાસ્તિક પણ તેઓ કહે છે-તે દ્રષ્ટિએ જેનોને પણ તે વિશેષણ લાગુ પાડી શકાય તેમ છે: (૪૪) અન્ય ગ્રંથમાં તેને મળતી જ વ્યાખ્યા છે તે આ પ્રમાણે ગમન ગાયતે ઉં, કંદારેg ગિોત્તમઃ | वेदपाठी નાનાતિ મહg: . હંમg iમળા ( ઉત્તરાધ્યયન. અ. ૨૬, ગાથા. ૩૧.), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy