SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ રાજુલુલની [ પંચમ ઇમાં મરણ પામવાથી તેમની જગ્યાએ રાજુ- વલની નીમણુક થઈ હતી. એટલે રાજુલુલને પણ ક્ષહરાટ પ્રજાના એક ક્ષત્રપ તરીકે જ નોંધ રહે છે. અલબત્ત ક્ષત્રપ તરીકે તેને રાજ્યકાળ બહુ ટૂંક સમયને જ રહ્યા છે તે આપણે યથાસ્થાને જણાવીશું. જેમાં તેની આયાતના ઇતિહાસથી આપણે તેને હરાટ કરાવ્યો છે, તેમ અન્ય સાબિતિઓ પણ તે બાબતની મળી રહે છે. તેના જે સિક્કા મળી આવ્યા છે તે ઉપરના અક્ષરો પણ ખરેડી ભાવના જણાયા છે, તેમજ તેની પટરાણીએ જે દાનપત્ર કોતરાવ્યું છે જેને મથુરાન સિંહસ્તૂપ કહીને વિદ્વાનોએ ઓળખાવેલ છે તે સારાયે સ્વની ભાષા પણ ખરેણી જ છે. એટલે આવા સિક્કાઈ અને શિલાલેખી પુરાવા જ્યાં અસ્તિત્વ ધરાવે છે, ત્યાં પછી અન્ય રજૂ કરવાની જરૂર દેખાતી જ નથી; જેથી આપણે તેને નિશક રીતે ક્ષહરાટ ક્ષત્રપ તરીકે જ ઓળખવો રહે છે. આપણું ઇતિહાસની સાથે જે કે તેના કુટુંબી પુરૂષોનાં નામને કાંઈ સંબંધ તે નથી જ, છતાં તે વખતમાં કેવાં નામો તેનું કુટુંબ હતાં તે જાણવાની કેટ લાકને કુતુહળતા ઉત્પન્ન થાય તે સંતોષવા માટે જણાવીએ છીએ કે, તે સર્વે નામે, ઉપર જણાવવામાં આવેલ મથુર સિંહ સ્તૂપના લેખમાં તિરાવેલ છે અને તે આ પ્રમાણેનાં છે. રાણીનું પિતાનું નામ નન્દસીઅસા, તેણીના બાપનું આય કે , માતાનું અબૂલા અને દાદીનું પિસપસિ હતું. જ્યારે તેગીના ભાઈનું હથઅરી હતું. વળી ક પુત્ર-યુવરાજનું નામ ખલયસ કુમાર હતું, તેને ખરઓસ્ટ' નામ પણું આપ્યું હોય એમ જણાય છે. બીજા નાના પુત્રોમાં કાલુઈ અને સાથી નાના નામે જ હતાં. આ ત્રણે સગા ભાઈઓ હતા. અન્ય પુત્રમાં શદાસ અને પુત્રી તરીકે હનનાં નામ જણાવ્યાં છે. આ ઉપરથી જણાય છે કે, રાજુવુલને ચાર પુત્રો અને એક પુત્રીને પરિવાર હતો. સાધારણ નિયમ એ છે કે, પિતાની ગાદીએ હંમેશાં ચેક પુત્ર જ આવે. અહીં જે પુત્ર-યુવરાજનું નામ ખલયમ કુમાર અથવા ખરઓટ હેય એમ જણાય છે, જયારે તેની પછી ગાદીએ તે ડાસ આવ્યાનું જણાયું છે, એટલે બે અનુમાન કરી શકાય છે. કાં તે જેમ ખલાસકુમારનું બીજું નામ ખરસ્ટ છે તેમ ત્રીજું નામ છેડાશ પણ હેય; અથવા પિતાની હૈયાતિમાં જ તે ખરએસ્ટનું મરણ નીપજ્યું હોય, તે તેના પછી તુરત જ નાને કુમાર એટલે જેને નંબર બીજે હેય તે તે સેદાસ ગાદીએ આવ્યો હેય. (૨) જુએ પુ. ૨. સિક્કા ચિત્ર નં. ૭, ૮. (૩) કે. હિ. . ૫. ૫૭૪:-The Kharoshati inscription with which the surface is completely covered associate in the religious merit of the foundation: the donor herself, the chief Queen of the great sutrap Rajula શિલાલેખ આ ખરેણી ભાષાથી લખાયો છે તેમાં તેની સ્થાપના વિશેની ધાર્મિક ગેરવતાનું જ વર્ણન છે; તેના દાતા તરીકે, મહાક્ષત્રપ રાજુલ ની પટરાણી ખૂદ પોતે જ છે (૫ટ રાણું લખી છે એટલે બીજી પણ રાણીઓ હશે જ એમ થયું.) (૪) આ સર્વ નામો એ. ઇ. પુ. ૯, ૫. ૧૪૨ તથા ભારતીય પ્રાચીન રાજવંશ પુ. ૨, પૃ. ૧૯૩ અને આગળમાંથી ઉતારવામાં આવ્યાં છે. (૫) આ વિશે નીચેની ટીકા નં. ૯ જાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy