SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ એક બીજી [ ચતુથ એમ જણાય છે. (એટલે તેમની આ માનીને તાથી, જરાયે આધુ-પાછું પગલું ભરતું સાહિત્યવાંચન આવી પડે, કે તુરત પૂર્વમતાપ્રહના પરિણામે, તેવા સાહિત્યનો અનાદર કરવાના વલણ તરફતેઓ ઢળી પડતા જાય છે. મને આ પ્રમાણે જણાવ્યું છે તેથી જ અહીં આટલે નાનો સરખો પણ ઉલ્લેખ કરવો પડ્યો છે; કેમકે મારા આ પુસ્તકના બે વિભાગો બહાર પડી ચૂક્યા છે તેમજ તેને લગતી સમાલોચનાઓ અનેક વર્તમાનપત્રામાં લેવાઈ છે. તેમાં સમાલોચક મહાશયોએ જે ઉદ્ગારો કાઢયા છે તે ઉપરથી હું જોઈ શક્યો છું ) ખેર! અત્ર તે એટલું જ જણાવવાનું , જેને આપણે ઝાંખા સ્વરૂપે સંસ્કૃતિ તરીકે અત્યારે ઓળખાવીએ છીએ, તેને પ્રાચીન સમયે ધર્મ કદાચ કહેતા હશે; પણ તે સમયે જે ચાર વર્ગ–ભરણપોષણ માટે તેમજ સામાજિક વ્યવહારની સરળતા માટે પાડવામાં આવ્યા હતા તેમને ધર્મ સાથે કાંઈ જ સંબંધ નહોતો. તેથી કરીને ગમે તે વર્ણને માણસ ગમે તે ધર્મ પાળી શકતું હતું. એટલે જ તે સમના ત્રણે ધર્મ–વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મમાં–ચારે વર્ણના સભ્યો આપણે નિહાળી શકીએ છીએ. જે આટલું સત્ય સમજી જવાય તે જન્મે બ્રાહ્મણ અને ક્ષત્રિય હેવા છતાં પણ, કેઈ માણસને વૈદિક, જૈન કે બૌદ્ધ- માંથી, કોઈ પણ ધર્મનો મતાનુયાયી માનવામાં આપણને વાંધો જ કયાં રહે છે? તે જ પ્રમાણે જ્યારે પં. ચાણકયને મેં જૈનધર્મી હોવાના પ્રમાણે આપી વિચારો રજૂ કર્યા, ત્યારે કેટલાકને નવાઈ લાગી હતી; વળી કોઈકે તે એટલે સુધીના (૯૮) સરખા પુ. ૨, પૃ. ૩૫ તથા ૧૯૭ ની હકીકત. (૯૯) એક કુટુંબમાં અથવા તે સગોત્રીઓમાં ઉદ્યાર પણ કાઢ્યા છે કે લેખક તે પાણિનિ, ચાણક્ય અને વરરૂચિની આખી ત્રિપુટીને જ જેનધર્મી હેવાનું મનાવવા બહાર પડ્યા છે. તે અત્રે સ્પષ્ટ કરવા રજા લઉં છું કે, માત્ર ચાણ કયજીને જ મેં જૈન મતાનુયાયી માન્યા છે. પાણિ નિના ધર્મ વિશે મારા જાણવામાં અદ્યાપિ પર્યત કાંઈ આવ્યું જ નથી; જ્યારે વરસાચ મહાશય વૈદિક મતવાળા હતા એમ સ્પષ્ટપણે જણાવી ગયો છું; અને તે આધારે જ વરરૂચિ કાત્યાયનને સંબંધ શુંગવંશી કાન્હાયન ગાત્રી પ્રધાને સાથે જોડી બતાવ્યો છે; વળી પણ, આ વરચિના અંગે જ નીચે પ્રમાણે વિચારો રજૂ કરૂં છું. પં. વરચિ તે સમયના મગધપતિ મહાનંદ ઉર્ફે નવમા નંદના જૈનધર્મી મહાઅમાત્ય કડાળના વિરોધી હેવાનું જણાવાયું છે, તેમ શુંગવંશી અવંતિપતિઓના કાન્હાયન ગોત્રી અમા પણ જૈન સંસ્કૃતિના વિરોધી હતા એમ જણાવાયું છે. વળી ૫. પતંજલી મહાશય પણ તે જ મને વૃત્તિવાળા હતા એમ શુંગવંશી સમ્રાટ આગ્નમિત્રના વૃત્તાંત ઉપરથી જણાયું છે. આ એક હકીકત થઈ. બીજી હકીકત એમ છે કે, પં. વરરૂચિ મહાઅમાત્ય બનવાની રુચિવાળા હતા. તેમજ પતંજલી મહાશય મહાઅમાત્ય જેવી રાજપુરાહતની પદવી ભોગવી ચૂકેલા હતા. વળી કાન્વાયન ગોત્રી પ્રધાનેએ શુંગવંશી ભૂપતિઓના સમયે બજાવેલી કડેધડે સેવા હતી. આ ત્રણે પ્રસંગોમાં ૯૯ અમાત્યપદ માટેની મનોદશા અથવા તે તેમાંથી ઉદ્ભવતી ઝંખના તમન્ના દેખાય છે. આ સર્વ વસ્તુસ્થિતિ વિચારતાં એમ વિચાર ઊભો થયે, કે એક પક્ષે વરરૂચિ મહાશય તે એક જ પ્રકારની અને ભાવના કેટલાય કાળ સુધી ઉત્તરસર ઉતરી આવવાનું જે મનાય છે તેના દષ્ટાંતરૂપ આ ઉદાહરણ કેમ ન ગણાય? સરખા ટી. નં. ૯૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy