SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ (૪) ઐતિહાસિક રહસ્ય-જે અદ્યાપિ પર્યંત અંધકારમાં પડી રહેલું છે તેનું વર્ણન રાજા કલ્કિ-સમ્રાટ અગ્નિમિત્રના વૃત્તાંતે અપાયું છે. કેમકે આ સિંહસ્તૂપની પુનઃપ્રતિષ્ઠા જે ઇ. સ. પૂ. ૧૧૫ માં થવા પામી છે તે પૂર્વે લગભગ ૬૫ વર્ષે સમ્રાટ અગ્નિમિત્રના હાથે જ તેના વિનાશ થવા પામ્યા હતા. એટલે કે રાજા કલ્કિના બિરૂદની પ્રાપ્તિ અને મથુરા સિંહસ્તૂપનું ભૂતપૂર્વનામ žાડવાસ્તુપદેવરચિતસ્તૂપ' તે બન્ને સુઘટરીતે સંકલિત થયેલ છે. (૫) તેની પ્રતિષ્ઠા કરાવનાર મહાક્ષત્રપ રાજીવુલની પટરાણી તથા તે ઉત્સવની ઉજવણીના સમયે ત્યાં એકત્રિત થયેલ ક્ષહરાટ પ્રજાના મુખ્ય મુખ્ય આગેવાનાના સમુદાય, એમ પ્રતીતિ કરાવે છે કે તે આખી ક્ષહરાટ પ્રજા પેાતાના ધર્મ પ્રત્યે અતિ શ્રદ્ધાવંત તથા ભક્તિપૂર્ણ હતી અને આપણે જાણીને તાજીખ થઈશું કે તે સર્વે અહિંસામય જૈનધર્મનાજ અનુયાયીઓ હતા. આ પ્રમાણે તેના ઇતિહાસ છે પણ કાળે કરીને જેમ અન્ય પ્રાચીન અવશેષાનાં હાલહવાલ થયા છે. તેમ આ સ્તૂપ પણ કઈક સમયે શિતલાદેવીના મંદિરના એક અંશ બનવા પામ્યા હતા. હાલ તે લંડનના બ્રિટિશ મ્યુઝીઅમમાં તે સ્થાપિત થયેલ છે. તેને વીશે એપિગ્રાફ્રિકા ઇન્ડિકા પુ. ૯. પૃ. ૧૩૫ માં આ પ્રમાણે નિવેદન નજરે પડે છેઃ— Object of the inscription is to record a religious donation on the part of the Chief Queen of Satrap Rājula.... Found on the steps of an altar devoted to Sitala on a site belonging to low caste Hindus at Mathura.... Secured by Dr. Bhagwanlal brought to Bombay; then presented to British Museum where it lies at present.... Being contemporary with Taxilla plate; this can be placed as nearly as 42 B. C.-લેખકના આશય, ક્ષત્રપ રાજુલની પટરાણી તરફથી ધામિક દાનની નેાંધ રાખવાના છે...મથુરાના અશ્રુત વર્ગના હિંદુઓની એક જગ્યામાં શિતળાદેવીના મંદિરની વૈદિના પગથિયામાં (તે લેખ) જડેલ હતા. ડાકટર ભગવાનલાલને તે સાંપડેલ ત્યાંથી મુંબઈ લાવવામાં લાવેલઃ અને પછી બ્રિટિશ ન્યુઝઅમને ભેટ દેવાચા હતા. હાલ તે ત્યાંજ પડેલ છે....તક્ષિક્ષાના પટ (તામ્રપત જીએ આ પુસ્તકે રૃ. ૨૪૦નું વિવેચન) ના સમયના (આ લેખ) છેઃ જેથી તેના અદાજ સમય' ઈ. સ. પૂ. ૪૨ લગભગને ગણી શકાય. .૧ તે સમયે આ તક્ષકાના પટને સમય ગમે તે ગણવામાં આવતા હશે. હાલ મેં તેને સમય ઈ. સ. પૂ ૮ ના ઠરાયેા છે. (જુએ તેનું વૃત્તાંતઃ) ડૉ. ભગવાનલાલને આ નિર્ણય અંદાજી સમય બતાવે છે. જ્યારે તેને નિશ્ચિત કાળ તા ઉપર જણાવ્યા પ્રમાણે ઈ. સ. પૂ. ૧૧૫ ના જ ગણવા રહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy