SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ત્રણે સ્થાનનાં [પ્રથમ જમાનાને પણ એક તરીકે ગણી કાઢો રહે છે; એટલે જે શાંતિપૂર્વક આ પાંચે જાતિને ઇતિહાસ ઊકેલવામાં આવે તે હિંમત છે કે, જેમ પ્રથમનાં બે પુરતમાં કેટલાય અંધકારમય યુગનાં પાનાં ઊકેલીને પ્રકાશિત કરાયા છે તેમ આ વિષયને લગત ઉકેલ પણ ફળદાયી નીવડે ખરે. એથી કરીને જરાક લાંબું વિવેચન થઈ જાય તે પણ આપણે તે સ્પષ્ટ રીતે ઊકેલવું જ રહે છે. (૧) શાકીય વિશેની સામાન્ય અથવા મોટા ભાગની માન્યતા જે હતી તે મેં ઉપર રજૂ કરી દીધી છે. જ્યારે મારા મત પ્રમાણે થોડાક તેમાં ફેરફાર કર રહે છે. તે માટેની હકીકત તથા કારણ આ પ્રમાણે છે – ઉપર પ્રમાણે સ્થિતિ જે બનવા પામી હોય તે તેને માર્ગ પાસેના નકશામાં બતાવ્યા પ્રમાણે મ થી રેખાને હોઈ શકે; જ્યારે મારી માન્યતા એમ છે કે તેને માર્ગ ૧ થી ૩ રેખાવાળો હોવો જોઈએ; કેમકે આ થી ૨ રેખા પ્રમાણે જે બન્યું હોય તે, હામન સરોવરાદિ ત્રણે જળાશય મૂળમાં સમુદ્રના અંશ હોવાથી તેમનું પાણી ખારું હોવું જોઈએ પણ તે તેમ નથી. એટલે ઉપર પ્રમાણે સ્થિતિ બન્યાની વિરૂદ્ધમાં આ હકીકત જાય છે. તેમ ઉપરમાં આપણે એમ પણ જણાવી ગયા છીએ કે ગ્રીસના કીટ અને આનિયન ટાપુઓ શાકkીપની અંતિમ પશ્ચિમે આવેલ હતા; એટલે તે ઉપરથી એમ અનુમાન લેવાય છે કે એશિબાઈ માઈનરવાળો ભાગ તે વખતે દરિયા રૂપે જ હતો. વળી આફ્રિકાખંડ મળે, શાકીને ભાગજ હતો એમ પણ કહી ગયા છીએ; એટલે આ પ્રમાણે સર્વ સંજોગે શાકડીપના પશ્ચિમ કિનારાને લગતા કયારે સંતોષી શકાય, કે જ્યારે કાળા સમુદ્રથી માંડીને ઇરાની અખાત સુધી ૩ રેખા સુધીના ભાગને અથવા તે કાસ્પિઅને સમુદ્રથી માંડીને ઈશની અખાત સુધીની – રેખા સુધીના ભાગને, પ્રથમ સમુદ્રરૂપે માની લેવાય૩૧ તો જ. ગમે તે રીતે માને, પણ અરબસ્તાનના કોપકલ્પને જંબુદ્વીપ અને શાકદ્વીપની વચ્ચેના સમુદ્રમાંથી ઊગી નીકળ્યાનું જ માનવું પડશે અને તે વાત સત્ય પણ સમજાય છે, કેમકે તેને માટે ભાગ દટાઈ ગયેલ સમુદ્રની રેતીથી બનેલું છે. એટલે ૩-૪ રેખા, આગળ આવીને જે જંબુદ્દીપની પશ્ચિમ હદે અટકતી માનો તો આખો ઇરાન દેશ અને જે - રેખાએ આવીને અટકની માને , પશ્ચિમ ઈરાનને થોડેક ભાગ લઈને બાકીને ઈરાન, જંબુદ્ધીપમાં ગણાતો હતો એમ માનવું રહે છે. અને જ્યારે ઈરાનને જ જંબુદ્વીપમાં માન્યો ત્યારે, અત્યારના હિંદુસ્તાન અને ઇરાનની વચ્ચે આવેલા અફગાનિસ્તાન તથા બલુચિસ્તાનને પણ જબૂદીપમાં જ ગણવા પડશે. મતલબ કે, તે સમયના ભરતખંડની હદ હાલની માફક સિંધુ નદીની પશ્ચિમે જ આવીને અટકી જતી નહાતી; (૩૨) એટલે આખો એશિયાઈ માઇનર-નુકસ્તાન તથા ઈરાનનો છેડોક ભાગ (તથા આગળ ઉપર સાબિત કરીશું કે અરબસ્તાનને ભાગ પણું ) મૂળે સમુદ્રરૂપે જ હતો. અને આ સમુદ્ર તે બીજે કઈ નહીં, પણ જંબુદ્વીપથી શાપિને જુદે પાડતે જ સમુદ્ર જણો; પછી તે સમુદ્રને પલટે થઈને જ્યારે જમીન થઈ ગઈ ત્યારે તેને શકહપના એક ભાગ તરીકે લેખે (જેમ મ. સા. ઈ. પૃ. ૪જનું અવતરણ જે ઉપરની ટીકા નં. ૧૭ માં કર્યું છે તે પ્રમાણે લખવામાં આવ્યું છે) જે સમુદ્રને પલટો થઈને જમીન થયાનું આ ટીકામાં જણાવ્યું છે તેને પૂ. ૧૩ર ઉપરના શાકોપના વર્ણનમાં (૧) કલમમાં જે સમુદ્રની રેખા દોરી છે તેમાંના કારિપઅન સમુદ્રમાંથી, એક ફાટે દક્ષિણ તરફ લંબાય હતે એમ માની લેવું રહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy