SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ રહેવાને એમ ખાત્રી રાખવી. મારા પુસ્તકને આ ત્રીજો ભાગ છે, તેમાં અનેક વખત ગણિતશાસે આ પ્રમાણેની સહાય આપી છે. એટલે હવે તે વિશ્વાસ પણ બંધાતે જાય છે કે, ઘણી ઘણી બાબતના સમયનિર્ણય જે અત્યાર સુધી હું જાહેર કરી ચૂક્યો છું તે મોટા ભાગે સત્યપૂર્ણ જ છે. મતલબ કે સબળતાના પ્રમાણમાં, સૌથી છેલ્લે નંબર દંતકથાને અને પુસ્તકીયા પુરાવાને રહે છે, તેથી મજબૂત શિલાલેખી, તેથી સંગીન સિકલાઈ પુરાવાને અને સૌથી શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રને નંબર મૂકો રહે છેઃ સમયની બાબતમાં તે ઉપર પ્રમાણે મત ઉચારી શકાય તેમ છે પરંતુ હકીકત કે તેના વર્ણનની સત્યતા માટે મત ભેદ રહે ખરે. આ પ્રમાણે પુસ્તકની સમાપ્તિ થાય છે. પુસ્તકના લેખનમાં તથા ચિત્રો ઉઠાવવામાં જે ગ્રંથકર્તાઓ, લેખકે તથા અન્ય વસ્તુના માલિકો વિગેરેની સહાય લેવી પડી છે તે સર્વેને ઉપકાર માન્યા સિવાય કલમ બંધ કરી ન જ શકાય. તેવી જ રીતે ચિત્રકાર મિ. સોમાલાલ શાહને પણ વિચારવા નથી જોઈતા. ચાર ભાગને બદલે પાંચ ભાગમાં પુસ્તક વહેંચી નાખવાની પેજના ઠેઠ છેવટે ઘડાઈ છે. જેથી કેટલેક ઠેકાણે આ પુસ્તકને અંતે અથવા પુ. ચોથામાં જુઓ, એવી મોઘમ હકીકતે દર્શાવાઈ છે; તે પ્રથમ નજરે અસંગત દેખાશે. પણ તે ઉપરના કારણે થવા પામ્યું છે એમ જાણી દરગુજર કરવા વિનંતિ છે. તેવી જ રીતે ગૌતમીપુત્ર સાતકરણી અને રાણી બળથીના લેખ સંબંધી હકીકતમાં ગુંચવાડે ઉભા થવા સંભવ છે કેમકે કેટલાય ફરમા છપાઈ ગયા ત્યાં સુધી તેને સમય ઈ. સ. ૭૮ ને હોવાની મારી ગણત્રી હતી. પણ પાછળથી ખાત્રી થઈ છે કે તેને સમય ઈ. સ. પૂ. પર ને છે. એટલે તેના નિવેદનમાં પણ કેટલેક ઠેકાણે અસંબંધતા જરૂર દેખાશે જ; પણ સંશોધનના વિષયની અસ્થિરતાને તેનું કારણભૂત માની તે ક્ષેતવ્ય લેખવા વિનંતિ છે. (૬) પ્રકાશકનું નિવેદન છાપખાનાને લગતું કાર્ય તે હવે અમને કોઠે પડી ગયા જેવું થઈ ગયું છે એટલે તે સંબંધી કાંઈ કહેવાપણું રહેતું નથી. બાકી જેમ પહેલાં બે પુસ્તક માર્ચ મહિનામાં પ્રગટ કરી શકાય છે તેમ આ ત્રીજું પણ માર્ચ માસ પહેલાં અથવા તે મોડામાં મોડું તે કાળે બહાર પાડી નાંખવા ઈચ્છા રાખી હતી. પણ કહેવત છે કે, બલીયસી કેવલમીશ્વરેચ્છા-ધાર્યું ધણીનું થાય છે. તે પ્રમાણે અમારા સર્વ પ્રયત્ન છતાં લાચારી ભોગવવી રહી છે, કેમકે, અમારા લઘુબંધુની ગંભીર બિમારીને લીધે સ્ટેટ જનરલ સ્પીતાલમાં અઢીક મહિના અને ઘર આગળની સંભાળમાં દેઢેક માસ મળીને એકંદરે ચાર મહિને પર્યત અમારે રોકાઈ રહેવું થતાં તેટલા સમય માટે આ કાર્ય ખંભિત થયું હતું. તે ચાર મહિનાનું કામ તે પછીના બે માસમાં ઉપાડીને પૂરૂ કરાયું છે તે પણ પરમાત્માની કૃપાનું જ પરિણામ સમજીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy