________________
અગ્નિમિત્રનું
[ તૃતીય
ઈ. સ. પૂ. ૨૧૧ થી ૨૦૪ સુધી ૭ વર્ષ ચાલ્યું હતું.
અત્યાર સુધીમાં મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર અતિ સંકુચિત થઈ ગયો હતો કેમકે (૧) અવંતિની રાજનીતિને લીધે પ્રજામાં જે અસંતે ઘણે વધી પડ્યો હતે તેને લીધે હેય કે પછી પોતાનામાં રાજ્યભની વૃત્તિનું જોર જામવા માંડયું હતું તેને લીધે હોય; પણ બેમાંથી એક કારણને લીધે ખચિત જ તેમ બન્યું તેવું જોઈએ. કે સમ્રાટ પ્રિયદર્શિનને એક પુત્ર જાલૌક જે કાશ્મિરપતિ બની બેઠે હતો અને જેણે ૨૭ આક્રમણ કરી અવંતિપ તિના આણમાંથી-મૌર્ય સામ્રાજયના અધિકાર- માંથી-હિંદને આખે નેઋત્ય પ્રદેશ, ૨૮ તથા ઉત્તરને માટે ભાગ જેને હાલમાં સંયુક્ત પ્રાંત અને ઔધ કહે છે તે, કબજે કરી લીધો હતો (૨) મૌર્યવર્શી શાલિશુકની બંગાળવાળા રાજશાખાએ બિહારવાળા પ્રાંત તથા પૂર્વબંગાળને મેરે ભાગ પડાવી લીધા હતા. (૩) અવંતિની લગોલગને પૂર્વ ભાગ, જેને તે સમયે વિદર્ભ કહેતા હતા અને હાલ મધ્ય પ્રાંત તથા મધ્ય હિંદી એજંસીનાં સંસ્થાને કહે છે તે સઘળે પ્રદેશ, કદાચ ઉપર નં. ૨ માં વર્ણવેલ બંગાળી રાજસત્તા તળે કે પછી દક્ષિણના અંધ્રપતિની સત્તામાં જઈ પડયે હતો (૪) જ્યારે આખેયે દક્ષિણ હિંદ તે, લગભગ થોડાક સ્વતંત્ર અપવાદ સિવાય, શતવહનવંશી અંધપતિને તાબે કયારનેયે હતે.
(૫) તેમજ સૌરાષ્ટ્ર અને રાજપુતાના ૨૯ (કદાચ સિંધ સહિત પણ હેય) જે અવંતિની પશ્ચિમે આવેલ છે તેમાં કોની સત્તા હતી તે ચેકસ નથી; પણ સમજાય છે કે ત્યાં પણ સિધ તરફથી ઉતરી આવેલ શક પ્રજાએ પોતાનું સ્થાન વસાવ્યું હતું અને ધીમે ધીમે પગભર થવા માંડયું હતું. આવી રીતે મૌર્ય સામ્રાજ્યની હદ અતિ મોટા પ્રમાણમાં સંકુચિત થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું ઉપર નં. ૧ માં વર્ણવેલા કાશ્મિરપતિ રાજા જાલૌકનું મરણ તે અરસામાં (એટલે આશરે મ. સ. ૩રર ઈ. સ. પૂ. ર૦૫) નીપજ્યું એટલે તેની ગાદીએ તેને પુત્ર દામોદર આવ્યું. તે એક તે નવો જ ગાદીએ બેઠે હતો અને પોતાના બાપ જેવો પરાક્રમી ન હેતે; એટલે બેકટ્રીઅને જેઓ અત્યાર સુધી આવીને પંજાબમાં જ અટકી પડ્યા હતા તેમણે એકદમ ધસારો કર્યો અને પુક્ત પ્રાંતમાને મથુરા સુધીને જે પ્રદેશ જાલૌકના તાબે ગયે હો તે આ દામોદર પાસેથી જીતી લઈ, અવંતિ ઉપર ચડાઈ લઈ આવવાની તૈયારી કરતા દેખાયા.
આ પ્રમાણેની જ્યાં સઘળા પરિસ્થિતિ બની રહી હોય ત્યાં જે વ્યક્તિ મોટા સામ્રાજ્યના મનોરથ સેવી રહ્યો હોય તેને મનમાં બહુ લાગી આવે તેમાં કાંઈ વિસ્મય પામવા જેવું નથી જ. તેમાં પણ સિન્યાધિપતિ જેવા સ્વતંત્ર સ્વભાવના અને લશ્કરી તેખમના અને
(૨૭) પુ. ૨ ના અંતે બેડલાં ચાર પરિશિષ્ઠ માંનું છેલ્લું ૩ નામનું, રાન જલકને લગતું પરિશિષ્ટ જુઓ,
(૨૮) અ. હિ. ઈ. સ. પૃ. ૧૯૯૪-પંજોબમાં મૂર્યવંશી છેલ્લા રજિઓની કે શુગાની-એમાંથી કોઈની સત્તા હતી કે કેમ તે કહેવું જરા અસંભવિત દેખાય
છે. E. H. I. 3rd Edi. P. 199. It is Unlikely that either the later Mauryas or the Suugas exercised any jurisdiction in the Punjab.
(૨૯) જુઓ આગળ ઉપર ઓઢના રાજ્યની હકીકત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com