SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. પદવી આપી હતી. તથા ત્યાં પાટણથી આવેલા, મોટાં ધર્મકાર્યો કરનાર સાધારણશાહના પુત્ર ડુંગરશાહે કરેલા ઓચ્છવ-પ્રસંગે જિનહંસને વાચક પદ આપ્યું હતું. અને આબ-નિવાસી સંડ શ્રાવકે ઘણું ધનથી પ્રઢ મહોત્સવ કર્યો, તે પ્રસંગે પં. સુમતિસુંદરને ઉપાધ્યાયપદ આપ્યું હતું.” –એમને પરિચય વિ. સં. ૧૫૪૧માં સેમચારિત્રગણિએ રચેલા ગુરુગુણરત્નાકર કાવ્ય (ય. વિ. ચં. સર્ગ ૩, ૧૨૧૪, ૨૬ થી ૩૬ ) દ્વારા ઉપલબ્ધ થાય છે. જ્યાં વિભૂતિવડે અદ્ભુત પુરુષો ઉત્પન્ન થયા છે, જ્યાં પ્રાજ્ઞ પ્રજાવડે શ્રેષ્ઠ ઉત્સવ કરાતા હતા, સીરેહીના સં. અને જ્યાં વિમાન જેવાં જિનદેવ-મંદિરે ઊજલ અને કાજ શોભે છે, તે સીરહી નગરીમાં નિવાસ કરનાર ઊજલ અને કાજા(સં. ૩wa૪, જય)નામના બે સગૃહસ્થ શ્રાવકે વિક્રમની ૧૬ મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા, જેઓ લક્ષ( લાખાજી )રાજાના શ્રેષ્ઠ અમાત્યા હતા. તેઓએ સંઘપતિ થઈને અતિ આડંબરથી શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરી-કરાવી હતી. પકવાન્ન, ગોળ વગેરેના નિયમે ગ્રહણ કરનારા તેઓ હંમેશાં ૨૦૦ લેગસ્સનો કાઉસગ્ગ, ત્રણ વખત જિન-પૂજન, અને બન્ને વખત (સવારસાંઝ) પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરતા હતા, જેમણે દુર્ગતિ - ( દુષ્કાળ)-પ્રસંગે સુધમી વણિકોનાં પ્રત્યેક ઘરે હર્ષથી ધાન્ય વગેરેનાં દાન કર્યા હતાં, તથા મારવાડ વગેરે દેશનાં મનુષ્યોને હંમેશાં પિતાને ઘરે નિવારણ કર્યા વિના ભેજન, આચ્છાદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy