SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના : જૈનધર્મના તત્વજ્ઞાનનો માર્ગ અતિ ગહન છે, એ ગહન માર્ગમાં પ્રવેશ કરવાને માટે તેવા ઉત્તમ સાધને મેલવવા જોઇએ, જ્યાં સુધી ઉત્તમ પ્રકારની સાધન સંપત્તિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી એ ગહન માર્ગમાં પ્રવેશ કરી શકાય તેમ નથી; તેથી તેના સાધનરૂપે આ લઘુ લેખની યોજના કરવામાં આવી છે. સાતયનું સ્વરૂપ યથાર્થ રીતે સમજવામાં આવે તે સ્વીકાદ સિદ્ધાંતનું રહસ્ય સારીરીતે સમજવામાં આવી શકે છે આહંત ધર્મના પારંગત મહાનુભાવ પુરૂષોએ પિતાના લોકોત્તર જ્ઞાનના બળથી સાતનય અને સપ્તભંગીની યુક્તિ સહિત પદ્ધતિ પ્રગટ કરી છે, તેમાં સાતત્યનું જ્ઞાન વસ્તુના યથાર્થ સ્વરૂપને સારી રીતે દર્શાવી શકે છે. આત ધર્મના સિદ્ધાંત ગ્રંથ સમજવાને માટે સમર્થ વિદ્વાનેએ સાતયના સ્વરૂપને યુક્તિ પુર્વક દર્શાવ્યું છે, અને તે ઉપર અનેક ગ્રંથો લખેલા છે, કેટલાએક તે સમજવાને એટલા બધા મુશ્કેલ છે કે, તેમાં પ્રવેશ કરવાને માટે ન્યાયના મોટા ગ્રંથના અભ્યાસની આવશ્યકતા છે. વર્તમાનકાળે જૈનવર્ગમાં તેવા ગ્રંને અભ્યાસ કરનારા ઘણા વિરલા પુરૂષો જોવામાં આવે છે, કદિ મુનિવર્ગમાંથી કોઈ તેવા વિદ્વાને નીકળી આવે છે, પણ ગૃહસ્થ વર્ગમાંથી તે કઈકજ તેવા વિદ્વાન મળી આવે છે, આથી આ લધુ પુસ્તકની લેજના વિશેષ ઉપગી થવાનો સંભવ છે. આ લઘુ પુસ્તકમાં સાતનયનું સ્વરૂપ હેલાઈથી સમજી શકાય, તેવી - જના કરવામાં આવી છે. આનંદસૂરિ નામના એક જૈનાચાર્ય અને નયચંદ્ર નામના એક શ્રાવકના કુટુંબનો સંબંધ લઈ ઉક્ત વિષયને સારી રીતે વિવેચન પુર્વક ચર્ચવામાં આવ્યા છે, અને હેલી ભાષાથી તેને સ્પષ્ટ રીતે સમજાવવામાં આ વ્યો છે. મહાનુભાવ આનંદસૂરિ પિતાને શિષ્ય પરિવારને લઈ સિદ્ધગિરિની યાત્રા એ આવે છે અને ત્યાં નયચંદ્ર નામના શ્રાવકના કુટુંબને તેમને યોગ થઈ આવે છે, પરોપકારી આનંદસૂરિ શંકાશીલ નયચંદને પ્રતિબંધ આપવાને માટે સિદ્ધગિ. રિની યાત્રાએ આવેલા છે, અને સિદ્ધગિરિની સાત યાત્રા કરવાનો સંકલ્પ કરી સાત દિવસમાં સાતનના સ્વરૂપને ઉપદેશ આપે છે. ( ૧ લી યાત્રામાં માનભાવ આનંદસૂરિએ બહિરાત્મા, અંતરાત્મા અને ૫ રમાત્માનું સ્વરૂપ, દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ, તેના દશ સામાન્ય ગણું, કેળ વિશેષસુ, સ્વભાવ, નિયશબ્દને અર્થ, અને તેના સાત પ્રકાર દર્શાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy