________________
નયમાર્ગદર્શક
( ૧૧ ) રંતુ તે છ દ્રવ્યતત્વે કહેવાય છે, એ વાત મારા જાણવામાં ન હતી. વત્સ, તું એ કયાંથી શીખ્યો?
જિજ્ઞાસુ–પિતાજી,મેં મુનિરાજના વ્યાખ્યાનમાં સાંભળેલું તેમજ જૈનગ્રંથમાં પણ તે વિષે સારી રીતે વાંચ્યું હતું.
નયચંદ્ર-વત્સ, તને ધન્યવાદ છે, તારી સ્મરણ શક્તિ જઈ મારૂ હૃદય સંતુષ્ટ થાય છે. તે સાથે મને મારે માટે ખેદ થાય છે કે, તે છ દ્રવ્યતત્ત્વ વિષે મેં ઘણીવાર વાંચ્યું હશે, અને તે વિષે ચચી પણ કરી હશે, તથાપિ શંકાઓના જાલમાં હું તે ભુલી ગયો છું. આ પૂજ્ય સૂરિવર મારી શંકાઓને દૂર કરશે, ત્યારે મારું હૃદય નિર્મળ
થશે.
આનંદસૂરિ પ્રસન્નતાથી બેલ્યા–ભદ્ર, કોઈ જાતની ચિંતા રાખશે નહીં. તમે સારી રીતે નિઃશંક થઈ શકશે, તમે છ દ્રવ્યતત્વ વિષે બરાબર સમજ્યા નથી, હવે તે વિષે ધ્યાન દઈને સાંભળે.
જૈનશાસ્ત્રમાં ૧ જીવાસ્તિકાય, ૨ ધર્માસ્તિકાય, ૩ અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, ૫ પુદગલાસ્તિકાય અને ૬ કલ–એ છદ્રવ્યતત્તવ કહેવાય છે. તેમાં પ્રથમ દ્રવ્ય એટલે શું? એ સમજવાનું છે. જે દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજવામાં આવશે, તે પછી એ છ દ્રવ્યત હેલાઈથી સમજી શકાશે. - પ્રથમ તે દ્રવ્યનું લક્ષણ શું? અને દ્રવ્ય કેને કહેવાય એ વાત જાણવી જોઈએ, એ સમજવાથી દ્રવ્યગુણ પર્યાય સારી રીતે જા. વામાં આવશે, એટલે તમારા હૃદયમાંથી શંકાઓને મોટો ભાગ
દૂર થઈ જશે.
ભદ્ર નયચંદ્ર, આ જગતમાં દ્રવ્યનું લક્ષણ તર” કહેવાય છે. જે સત્ છે, તે દ્રવ્ય છે, તેને માટે આગમમાં દર્શાવ્યું છે. “ શે ”િ
જિજ્ઞાસુ વિનયથી બેભે–ભગવન, આપ કૃપા કરી સર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com