________________
શાસનમાં પ્રવર્તતું હોવાથી નિગ્રંથ શ્રમણ ભગવંતને આગમ પુસ્તકે ની જરૂર રહેતી ન હતી અને તેથી પાંચ પ્રકારના પુસ્તકમાંથી કોઈપણ પ્રકારનાં પુસ્તક રાખવા, લખવા કે બાંધીને સાચવવાં એ દરેકમાં નિસ્પગિતા હેવા સાથે ઉપાધિપણને લીધે પ્રાયશ્ચિત આપત્તિ શાસ્ત્રકારોએ જણાવેલી છે. પણ ભગવાન વજસ્વામીજી સરખાને કરાવેલા અભ્યાસની સ્થિતિને વિચાર કરતા ધારણું રહિત એવા શ્રમણ નિર્ચન્યાદિ માટે પણ પુસ્તકોને ઉપયોગ થતો નહતો કે? આગમના પુસ્તકે રખાતાં નહતાં કે? એમ કહી શકાય તેમ નથી. વળી પહેલા કાગળના પુસ્તકે નહતા તેને આપ જ શો પુરાવો આપી શકો છો ?
૯. તો છેવટમાં અમે આપને પૂછીએ છીએ કે પરંપરાથી અગર શાસ્ત્રપાઠથી કોઈ પણ રીતે આપને આ વસ્તુ ( મુહપત્તિનું વ્યાખ્યાન સમયે બાંધવું ) માન્ય છે કે નહીં ?
૧૦. અને “ વ્યાખ્યાનકારમાં મુહપત્તિ બાંધનાર અને નહી બાંધનારમાં આરાધક કોણ ? અને વિરાધક કોણ ?” એ અમારા પ્રશ્નને પ્રત્યુત્તર હજુ સુધી કેમ મળતો નથી ?
૧૧. પ્રતિ-સમાલોચનાની સમાપ્તિમાં અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે વસ્તુનું પિષ્ટપેષણ નહી કરતાં છેલ્લા બે પ્રશ્નનો ( ૯-૧૦ ) જાહેર ખુલાસે જેને જનતાને આપી દેશે, અને પાંચ પ્રકારનાં પુસ્તકે ઠેઠથી હોવાથી અમુક વખતે લાંબા તાડપત્રના જ પુરત હતાં અને તેથી જ મુહપત્તિ બાંધવાનું શરૂ થયું તે કહેવું પુરૂષ અને શાસ્ત્ર પ્રમાણ વિનાનું હોવાથી ભાજબી નથી. આપને પણું તેવા ચિત્ર જોવામાં આવ્યાં હશે, તેથી જ પૂછવા છતાં પણ નિષેધ કરેલો નથી. એટલે આપના જોવામાં પણ તેવાં ચિત્રો આવ્યા હોવાનું અનુમાન થાય છે. મુહપતિ બાંધવાનો પરિવાર સહિત આદર કરશો તો ચર્ચાસારનાં ચિત્રો કરતાં પણ પ્રાચીન ચિત્રો પ્રયત્ન કરીને રજૂ કરશું.
આચાર્યશ્રી વિજયેહષસૂરીશ્વરજી મહારાજ, પુનાસીટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com