SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અંદર પણ કટીકા બંધને નિષેધ કોણે કર્યો છે કે જેથી તમારે વારંવાર તે વાતનું પુનરાવર્તન કરવું પડે છે. ચર્ચા-સારમાં મુહપત્તિ બંધનને એક પણ પાઠ નથી એમ લખે છે, પરંતુ ચર્ચાસારમાં તો વ્યાખ્યાનના પ્રસંગનું આખું પ્રકરણ છે (પ્ર. ૮મું), અને તેમાં બંધન વિષયકના વિધિ અપા આદિ ઘણું શાસેના પાઠે સ્પષ્ટપણે આપેલા છે. તે જાણવા છતાં નકાર ભણે છે એ મૃષા છે. વળી પાક્ષિકના લેખક લખે છે કે “ચર્ચાસારના ફોટાઓ તે કલ્પિત જ છે ને ?” પરંતુ આ પ્રશ્ન જ અસ્થાને છે, કેમકે તે ફેટાએમાં મુહપત્તિ નાકથી નીચે હોઠ પર રખાયેલ છે. તેનું કારણ એ છે કે તેમ કરવાથી મુખને સંપૂર્ણ આકાર જોઈ શકાય. એ ફોટાઓ પરથી બંધન ખોટું છે અને ફેટા કલ્પિત છે એમ કહેવું એ “ઉતાવળીઓ અભિપ્રાય છે. કેમકે વર્તમાનમાં બાંધનારાઓના ફોટા પણ બાંધ્યા વિનાના જ પડેલા છે. એથી તેઓ બાંધનારા નથી એમ સિદ્ધ થઈ શકતું નથી. વળી પ્રાચીન વારસાની પ્રતમાં તેવા બાંધ વાવાળા ફેટા છે તેમ અમારા સાંભળવામાં આવેલ છે. પ્રસંગ આવે પ્રયત્ન કરીને તેવા ફટાઓ રજૂ કરાશે. આપનું વાંચન બહેલું છે તેમ આપે ઘણું દેરાસર આદિના ચિત્રો જોયેલાં હશે, કારણ કે આપને વિહાર ઘણે થયો છે એટલે તેવી જાતના બંધનવાળા ટાઓ આપના જોવામાં નહી આવ્યા એમ પ્રતિજ્ઞાપૂર્વક તમે પણ કહી શકે તેમ સંભવતું નથી. કહેવાને ભાવાર્થ એ જ છે કે ચર્ચા-સારમાંહેના ફોટાથી બંધન ખોટું છે, અને ફેટાઓ કલ્પિત છે એમ સિદ્ધ થઈ શકે તેમ નથી. વળી પૂર્વે ઘણી વખત જે વિષે પ્રત્યુત્તર અપાઈ ગયેલ છે તે વિષે જ કરી લખો છો કે-“પ્રાચીન કાળમાં તાડપત્રની પ્રતી હતી.” તેના જવાબમાં જણાવવાનું કે-અનુયાગદ્વાર ચણિ તથા ટીકામાં સ્પષ્ટપણે વસ્ત્ર ઉપર લખાયેલાંને પણ પુસ્તક કહેલ છે અને પાટણના પ્રાચીન અન્યભંડારેમાં તેવા પુસ્તકે હાલ પણ મેજુદ છે. તાડપત્રને પાઠ લઈને તેની નીચે જ વન સૂચક પાઠ છે. તેને છોડી દે તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034559
Book TitleMuhpatti Charchasara
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay
PublisherVijaynitisuri Jain Library
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy