SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છબી છે તેમાં મુહપત્તિ બંધન નથી કર્યું એટલે તેઓશ્રી મુહપત્તિ નહેતા બાંધતા એમ કેણુ કહી શકે છે ? ૨. જેના હૃદયમાં એવી ભાવના હોય કે સાચું તે જ મારૂં તેને માટે મુહપત્તિ ચર્ચાસારની અંદર મુહપત્તિ બંધનને વિહિત કરનારા ઘણું પાડે છે. બાકી જેને એમ જ હોય કે હું કહું તે સાચું, મારું તે સાચું તેને માટે એક પાઠ નથી. પંચવસ્તુમાં ૯૫૭ મી ગાથાની ટીકામાં કુલવા વિષિણીતવા ગુલામણ – એ પદોનો અર્થ સાગરછ હાથમાં પકડેલી મુહપત્તિથી જ વ્યાખ્યાનિમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે. એ પદને સાગરજી જે અર્થ કરે છે તે હરિભદ્રસૂરીશ્વરના અભિપ્રાયને અનુસરતો નથી એમ અમારે કહેવું પડશે. ઉપરોક્ત પદોમાં વ્યાખ્યાન સાંભળનારને મુખ્યબંધન કરવાનું હોતું નથી એ જગજાહેર છે, છતાં ચચસારની અંદર આપેલ મુહપતિ બંધનને લગતા પાઠોને, અસત્ય ઠરાવવાની ખાતર વ્યાખ્યાન શબ્દ ઉમેરીને, મનમાન્ય અર્થ કરે છે તેથી ખુલાસો કરવાની જરૂર રહે છે. વાચક! પંચવસ્તુની ઉપરોક્ત ગાથા આચાર્ય પદવી-પ્રદાન પ્રસંગને અનુસરતી છે. આચાર્યપદ અપાય તે વખતે આચાર્ય શિષ્યને નંદીસત્ર સંભલાવે છે. અને શિષ્ય કેવી રીતે નંદી સાંભ, તે, વિધિને નિર્દેશ આ ગાથામાં કરેલો છે. એનો સંબંધ પૂર્વની ગાથાની સાથે છે, ટીકાના ઉપરોક્ત પદોને સાગરજી જે અર્થ કરે છે તેની સાથે વિચારીએ. મુહપિત એ સાધુનું ચિહ છે. પાંચવસ્તુમાં સાધુને બે પ્રકારની મુહપત્તિ રાખવાનું કહ્યું છે ? હાથમાં રાખવાની અને મેઢે બાંધવાની. એનું પ્રમાણ ત્યાં આપેલ છે. મે બાંધવાની મુહપત્તિને અવસરે ઉપયોગ થાય છે અને હાથમાં રાખવાની મુહપત્તિ તે હમેશાં દરેક સાધુના હાથમાં જ રહે છે એટલે ગુણવત્તા સ્થાનિતમુહમતઃ' એ પદ ઉપરથી હાથમાં પકડેલી મુહપત્તિથી મુખ ઢાંકવું એ અર્થ સ્પષ્ટ આવી જાય છે એટલે વિધિફીતયા પદની જરૂર રહેતી નથી; પરંતુ આચાર્ય પદ પ્રસંગે શિષ્ય પણું નંદીસત્ર સાંભળતી વખતે મુહપતિ બંધ કરવું જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034559
Book TitleMuhpatti Charchasara
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay
PublisherVijaynitisuri Jain Library
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy