SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પર મેવાડને અણમલ જવાહિર વાને આત્મબલિદાન મજબૂત બનાવવું તેથી જાલિમસિંહ પ્રચંડ સેના લઈ ચિત્તોડ ઉપર ચઢાઈએ કરવા લાગ્યો. અને ઘણા ગામ નગર પાયમાલ કર્યા જાલિમસિંહના પંઝામાં જે જે ગામ આવ્યા તેને સમુળગો જ નાશ કર્યો હતે. આ વખતે સરદાર ભિમસિંહને પ્રધાન (સલાહકાર) ધીરજસિંહ હતે. તે ઘણે બુદ્ધિશાળી અને હોંશિયાર હતા ધીરજસિંહ હમીરગઢને હાકેમ હતા. તેને વિદ્રોહી જાણી જાલિમસિંહે હમીરગઢ ઉપર ઘેરો ઘાલ્યો આખરે ધીરજસિહનrદર્દશા બેઠી અને જાલમસિંહ તોપોનો મારો ચલાવી હમીરગઢના ચૂરેચૂરા કરી નાંખ્યા. આ પ્રમાણે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. ત્યાંથી તે ચિત્તોડ ગયા, ત્યાં તેને સિંધીયાની સેનાની સહાય માગી ત્યારે ગત માઘોજી સિધીયાએ રાણાજીને પોતાની પાસે બોલાવવાની આજ્ઞા કરી રાણાજી વખતને માન આપી માઘજી પાસે ગયા આથી જાલમસિંહને ઘણું જ લાગી આવ્યું. પરંતુ જાલમસિંહ માટે કપટજાળ પથરાઈ હતી કપટી મરાઠા અંબાજીએ એવી સંધિ ગઠવી રાણાજીએ કહેવડાવ્યું કે જાલમસિંહ આપણા માટે વિદાયગીરી લેવા તેતાર છે આથી ચતુર જાલીમ કિંચીત પણ હતાશ થયા વગર તરતજ ત્યાંથી ચાલતો થયો. આ પ્રકારે કપટજાળથી અંબાજી આઠ વર્ષ મેવાડમાં રહ્યો અને મેવાડમાં થી એટલું બધું દ્રવ્ય મેળવ્યું કે તે એક સુપ્રસિદ્ધ શાહુકાર ગણાવા લાગ્યો હતો. મેવાડની ભૂમિનું મહેસુલ પચાવી બાર લાખ રૂપીયા ભેગા કર્યા હતા, પરંતુ તેના રહેવાથી મેવાડમાં અરાજક્તા દૂર થઈ અને મેવાડમાં બીલકુલ શાંતિ નહોતી તે મેવાડમાં આજે શાંતિ પ્રવૃત્તિ રહી. થોડા સમય પછી મેવાડીઓએ અંબાજીને આશીર્વાદ દેવા લાગ્યા. અંબાજીના હાથે કેટલાંક સારાં કામો થયાં હતાં પરંતુ છેવટે તે સ્વાર્થી બની પોતાની મૂળ જાત પર આવ્યું હતો અને પિતાની ભયંકર મૂર્તિ ધારણ કરી મેવાડના શત્રુ પક્ષમાં ભળી ગયો હતો. જ્યારે ચંદાવત્ સરદારોને પુનઃઅધિકાર પ્રાપ્ત થતાં જ શીવદાસ અને સતીદાસ બંને મંત્રીઓ ગભરાવા લાગ્યા જે ચંદાવતએ પોતાના ભાઈ સોમચંદ ને મારી નાખ્યો હતો તે ચંદાવતને આજે જતાં બંને ભાઈઓએ પોતાના બચાવ માટે અંબાજી પાસે સહાય માગી અંબાજીએ સહાય આપવા સારું રૂપીયા આઠ લાખની આવક માગી હતી. આટલું બધુ કર્યું છતાં મહારાણા અને મંત્રીની કઈ પણ આશા પૂર્ણ થઈ નહિ. મેવાડની સ્થિતિ દીનપ્રતિદીન બગડતી ચાલી. માધેજી સિંધીયા પણ આ દુનિયામાંથી હંમેશને માટે વિદાય થયે માઘજી સિંધીયા એક બહાર નર હતાં. પરંતુ તેણે પોતાની બુદ્ધિ ને બહાદુરી ફક્ત સત્તા ને પિસા મેળવવામાં જ ગુમાવેલી માઘજીએ પોતાના ધનને ભારતને માટે ઉપયોગ કર્યો હોત તો આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy