SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિયન રાજપૂત પ્રેમી બહાદુરશાહ કદાચ આ ઘાવ ભૂલાવી શકત પરંતુ તેની કારકીદ અતિ અલપ સમયમાં સમાપ્ત થઈ ગઈ તેથી તેને સફળતા મળી નહીં જો કે તે ગુણવાન હતો પણ રાજપૂતોએ સંપૂર્ણ વિશ્વાસ તેના ઉપર રાખે નહોતો દીર્ધકાળના પરિચયથી તેમના હૃદયમાં એ દઢ નિશ્ચય થઈ ગયો હતો, કે મોગલે અવિશ્વાસપાત્ર અને નિષ્ફર છે તેમને ભયંકર રીતે રાજસ્થાનનું રૂધીર ચુસી લીધું છે. અને બાદશાહને જન્મ પણ મોગલ વંશમાં થયો હતો, તેથી તે પણ પોતાના જાતીબધુ જે નીવડે તેમાં નવાઈ નથી આવા વિચારથી રાજપૂતે માંહે માંહે સંધી કરી પોતાના બચવાની રક્ષા કરવાના ઉપાય એ બહાદુરશાહે તેઓને સંતુષ્ટ કરવા માટે અનેક ઉપાય કર્યા, અકબરના ઉદાર દ્રષ્ટાંત આપી પિતાની સાથે સંબંધ રાખવાને તેમને ઘણેજ આગ્રહ કર્યો, પરંતુ તેના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા (ઈ. સ. ૧૭૦૯–૧૦) રાજપૂતના દીલમાં જે દૃઢ નિશ્ચય બંધાઈ ચૂક્યું હતું તે કઈ હિસાબે ટળે નહીં તેઓ પૂર્ણ રીતે સમજી ગયા હતા કે મોગલો ઉપર ગમે તેટલા ઉપકાર કરવામાં આવશે અને તેમને માટે પ્રાણ વિસર્જન કરવામાં આવશે તે છતાં તે કે તેને નિષ્ફર જાતિસ્વભાવ છોડશે નહીં તેથી તેઓએ બહાદુરશાહના આગ્રહ ઉપર કોઈ પણ જાતનું લક્ષ આપ્યું નહીં. જ્યારે મોગલ પાદશાહનો દૂત તેમની પાસે ગયો ત્યારે તેમને કેવળ એકજ ઉત્તર આપ્યો કે દેવતાથી વિમુખ થવાને લીધે લોકોને મતભ્રમ થયે છે. રાજપૂતેના આ પ્રતીઉત્તર સાંભળી બાદશાહ શીધ્ર સમજી ગયે. રાજપૂતે તરફથી ભવિષ્યમાં સહાય મળવાનો સંભવ ઘણું જ ઓછો છે. થોડા વખતમાં પાદશાહને પોતાના બધુ કામબક્ષની સાથે ભયંકર ઝઘડો થયો. કામબક્ષે પોતાને દક્ષિણને પાદશાહ તરીકે જાહેર કર્યો બહાદુરશાહને આ વિદ્રોહ દાબી દીધા વિના શીખનું દમન કરવાને માટે ઉત્તરમાં જવું પડયું. ગુરૂ નાનકે આ વિકાળ અને પરમ પરાક્રમીથી જાતિની પ્રતિષ્ઠા કરી હતી. શીખ શબ્દની ઉત્પત્તિ શીખ્ય શબ્દ ઉપરથી થઈ છે. એમ કહેવાય છે કે “ એકસસ ” નદીના તટપર શાકટ્રીપના પ્રાચીન જિનકુળમાંથી આ જાતિને ઉપદ્રવ થયો હતો, પછી તે ઈસ્વીસનની પાંચમી શતાબ્દીમાં ભારત વર્ષ ઉપર આક્રમણ કરી તેના પશ્ચિમ ભાગમાં આવી વસી ગુરૂનાનકના મહામંત્રથી દીક્ષિત થઈ તે કાળ પછી એક શતાબ્દીમાં શીખેએ પિતાની રક્ષા કરવા પેગ બળ ચાતુર્ય તથા પરાક્રમ પ્રાપ્ત કર્યું. અને પિતાને સ્વાધીન પ્રજા તરીકે જાહેર કર્યા, બહાદુરશાહના શાસનકાળમાં અખીલ મોગલ સામ્રાજ્યમાં કેવળ શીખજાતિ જ સ્વતંત્ર થઈ હતી, તેમનું દમન કરવાને માટે પાદશાહ પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy