SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના મારણાંતિક પ્રસંગોમાં પણ પિતાના શ્રદ્ધાબળને ટકાવી રાખનાર એ સુંદર ભૂપાળ ઈક્તિ દમનની પરાકાષ્ટાએ પહોંચેલે દેખાય છે. એજ મુજબ સેમદેવ સાર્થવાહના સ્વાર્થ સાધક વિષય વચનને સખ્ત પ્રતિઘાત કરનાર, પ્રાતઃસ્મરણીય સતી ધૌરેય રાણી મદનવલંભાની પણ શીલવત પ્રત્યે અડગશ્રદ્ધા અને તે ખાતર તેણુની વર્તમાન સહચરી સહનશીલતા અનુપમ અને આદર્શ છે, આ દૈવી ગુણે વાસિત માનુષોત્તર (Super Human ) દંપતીના જીવન ચરિત્રમાંથી ઉદભવતા આ વિવેકમય શીલ અને સત્યના પ્રસંગે શિલ બત્તથી ભ્રષ્ટ અથવા શિથિલ અને નિર્વિવેકી જનોનાં શુચી ભેદ્ય ઘનતિમિરથી આચ્છાદિત નેત્રો સમક્ષ જલવંત પ્રકાશ પાડે છે,-દુરાચાર, સ્વત્વવિક્રય-વિકૃતિ તથા નિર્વિકતાને જડમૂળથી વિનાશ કરવાની પ્રેરણા કરે છે, -કહો કે પ્રભુના નિવિકારી શાસનમાં દર્શાવેલી અનુપમ ત્યાગવૃત્તિ-સ્વગુણ રમણતા તરફ તે જનસમુદાયનું લક્ષ્ય ખેંચે છે. સંસારમાં આજે પુનર્લગ્ન-વિધવા વિવાહ વિગેરેની માન્યતા ધરાવનારા લોકોએ આ શીલ અને સત્ત્વનું મહામ્ય વિચારવા જેવું છે. સતીઓએ બળી મરવાનું પસંદ કર્યું છે પણ ફરી પરણવાનું પસંદ કર્યું નથી અને સત્ત્વવાના પ્રાણ વેચવાનું કબૂલ કર્યું છે પણ બેવફા થવું મંજુર નથી રાખ્યું; એ પૂર્વનો પવન છે અને બાકીનેએથી વિરૂદ્ધ-પશ્ચિમનો પવન છે. પશ્ચિમના પવનમાં-અર્થાત માનસિક વાચિક અને કાયિક દુર્ગુણોમાં સડી નિર્માલ્ય પુરૂવાતન હીન અને ખુનામરકીને વશ થઈ જતી જનતાને જે પિતાને ઉદ્ધાર વા કલ્યાણ જોઈતું હોય તો તેણે આ શીલ અને સર્વની ગીતામાં પુન: સ્નાન કરવું જ રહ્યું. જગતના વ્યભિચારો અને ગુણ વિરોધીતાની જે વ્યવસ્થા થઈ શકિત હોય તો તે શીલ અને સત્તવના શાસ્ત્રથી થઈ શકે પણ બીજાથી નહિ; જગતને ઉંધુ અથવા છતું ચલાવનાર ભાગ્યજ શીલ અને સરવને આધીન છે ? આગળ જણાવી ગયા તેમ આ કથાને કાળ નિર્દેશ કરી શકાય તે નથી કારણકે મૂળ ગ્રંથકાર મહર્ષિ શ્રીભાવદેવસૂરિજી શ્રીપા નાથ સ્વામીને સમ્યકત્વ પામ્યા પછી જે પહેલે ભવ-કે જેને સમય આપણી તે લગભગ સ્મૃતિ બહાર કહીએ તે ચાલે–તેનું વૃત્તાંત ૧ જીનેશ્વર ભગવાનને ધર્મ પામ્યાની પ્રતીતિ. શુદ્ધ દેવ ગુરૂ તથા ધર્મ હત્વની શ્રદ્ધા, પ્રીતિ, ને બહુમાન વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy