SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્યકાળ તથા હૈદર અલી, એ સઘળાં અશિક્ષિત કિવા નિરક્ષરજ હતાં, તથાપિ તેમણે પિતાનાં જીવનમાં જે શૈર્ય–વીર્ય-પરાક્રમ અને બુદ્ધિમત્તા દર્શાવેલ છે, તેને વિચાર કરવાથી આશ્ચર્ય થયા વિના રહેતું નથી. મહાન પુરુષો પોતાની અસાધારણ પ્રતિભાના બળથી આ વિશ્વરૂપી મહાગ્રંથમાંથી પિતાને ઉપયોગી થઈ પડે એવું જ્ઞાન સ્વતંત્રપણેજ મેળવી લે છે. અકબરે પણ તેમજ કર્યું હતું. અકબરમાં એક મહાપંડિતને ભાવે એવી મહાપ્રાગ્રતા હતી કે નહિ, તેને અનુભવ આપણે હવે પછીનાં પ્રકરણમાં કરીશું. બાલ્યાવસ્થામાંથી જ વિશ્વના અનંત જ્ઞાનભંડારમાંથી તેણે જ્ઞાનને સંચય કરવા માં હતો. ગંભીર વિચાર કર્યા વિના કે ઈ પણ કર્તવ્ય આરંભ કરવાનું તેની પ્રકૃતિમાં જ નહોતું. તે યુકિતની પાસે ગુલામ હતું, અર્થાત દુરાગ્રહી નહે. કઈ યુક્તિપૂર્વક પિતાને મત સિદ્ધ કરે, તે અકબર તે સ્વીકાર્યા વિના રહેતો નહિ. વિનાવિચારે કોઈના કહેવા ઉપર તે એકાએક શ્રદ્ધા રાખતે નહિ નાની વયમથીજ તેનામાં અનેક સગુણોએ નિવાસ કર્યો હતો. તે અહંકારશન્ય, અસાધારણ બુદ્ધિમાન, અત્યંત પરિશ્રમી તથા મહા તેજસ્વી પુરુષ હતો. તે સર્વની સાથે મળતા, સહદયતાપૂર્વક સર્વની સાથે વાર્તાલાપ કરતા અને પિતાના નિખાલસ વ્યવહારથી સર્વને વિમુધ કરતે. પોર્ટુગીઝએ અકબરના સંબંધમાં સ્વાનુભવપૂર્વક લખ્યું છે કે –“ અકબર વિચારશીલ હતું. તે કવચિત ગુસ્સે થતા, પણ થતા ત્યારે બહુજ થો; તે પણ તે ગુસ્સો બહુ વધારે વખત ટકતા નહિ. એક મુહૂર્તમાત્રમાં તે શાંત થઈ જતે અને સ્વાભાવિક રૂપ ધારણ કરતે. અકબર સ્વભાવે બહુ નમ્ર અને દયાળુ હત” અકબરની એક ધાત્રી (ધાવ) એ એક વાર એક કન્યાને જન્મ આપે. ત્યારબાદ તેણી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેણીના સ્વામીએ તેને તિરસ્કાર કરતાં કહ્યું કે:-“ હવે જે કન્યાને જન્મ આપીશ તે ઘરમાંથી જ કાઢી મૂકીશ. ” મુસલમાનેમાં ભાર્યાને ત્યાગ કરવો એ બહુ સહજ વાત ગણાય છે. ધાત્રી બિચારી રોતી-કાળતી અકબરની માતા પાસે આવી. તે વખતે અકબર બહુ નાની ઉમરને હતો. તેણે જ્યારે ધાત્રીના મુખથી સમસ્ત વાત સાંભળી ત્યારે તે સહેજ હસીને બે કે –“ હરકત નહિ, આ વખતે તું એક અતિ સુંદર પુત્રને જન્મ આપવા ભાગ્યશાળી થઈશ.” ત્યારબાદ અકબરે ધાત્રીના સ્વામીને બેલાવીને કહ્યું કે – “ભાઈ ! તમે તમારી સ્ત્રી પ્રત્યે અનુચિતપણે વાત છે તે ઠીક નથી, હવેથી સાવધાન રહેજે, જે ભવિષ્યમાં કઈ પણ પ્રકારે એવો વ્યવહાર કરશો તે તમારે મારા ક્રોધાનલમાં ભસ્મીભૂત થવું પડશે, એ યાદ રાખજે.” પતિએ પછી કઈ વાર પિતાની સ્ત્રી ઉપર ક્રોધ કર્યો નહે. વિશેષમાં એમ પણ જણાવ SAવામાં આવે છે કે અમ્બરના કહેવા પ્રમાણે ખરેખરજ ઉક્ત ધાત્રીએ એક પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy