SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ શબ્દશક્તિઓ. રાધિકા કેમ સહી શકશે?” એમ સખી કૃષ્ણને કહે છે. અહીં ધમી રાધિકામાં વિગ દુ:ખરૂપી ફળ રહે છે જેથી તે ઘર છે. વળી સખી કહે છે કે મારું હૃદય તે કાળમીંઢ પત્થર જેવું છે. અહીં સખી ધમી અને તેમાં રહેલું ધૈર્ય ફળ સમજવું. પણ ગારીનું હૃદય કમળ છે તેથી એનાથી આપના વિયેગનું દુઃખ સહન નહિ થાય માટે તુર્ત મળો ઇત્યાદિ ધ્વનિ હોવાથી प्रयोजनवती. આગળ કહેલા રજા ના આઠ ભેદ સાથે બનાવતીના ૩૨ ભેદ મળતાં એકંદર ૪૦ થયા. એ ચાલીશે વ અને વાયકો પ્રકટ થાય છે એથી ના એંશી ભેદ થાય છે. पदगत लक्षणा. યથા, ગેરસતણા વિક્રયવડે ગુજરાન જે કાયમ કરે, ગયુથમાંહિ ફરે જરાપણ અન્ધકારે ના ડરે; જેને અજબ આનંદમય શ્રી કૃષ્ણ સાથે સ્નેહ છે, પાવન પરમ યમુના ઉપર એ ગોપીઓનાં ગેહ છે. આહીં યમુના ઉપર” એ પદમાં લક્ષણ રહેલી છે. वाक्यगत लक्षणा. યથા. ગણુને ભણેલી ગણેલી ભલી મેં, પ્રિયાને મનાવા તને એકલી મેં, છતાં આવી પાછી ગઈ તુર્ત તેવી, બની તું સખી બાપના થાન જેવી. ૧ જે પદસમૂહ અન્વયયુક્ત, અર્થબોધક અને કહેવા લાયક હેય તે વાક્ય. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy