SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચિનમતાનુસાર કાવ્યલક્ષણ. જમાં પણ વાસ્તવમાં શ્રદ્ધાને ગ્ય નથી. અને એટલા માટે અમે ઉક્ત પંડિતરાજજીના લખવાને સાનંદ માનીએ છીએ. તથાપિ યથાર્થ લક્ષણ સ્થિર કરવાને નિમિત્તે અમારી પોતાની રૂચિને અનુ સાર જે હોય એને કાવ્ય માનીને એવું લક્ષણ કરવું કે આટલાઓમાંજ એની વ્યાપ્તિ હોય એ અનુચિત જાણવામાં આવે છે, એટલા માટે આ વિષય ઉપર કાંઈ વિચાર કરે આવશ્યક છે. જ્યારે આમ જેવામાં આવે છે કે, ચિત્ર કાવ્યાદિથી પણ એક પ્રકારનો ભાગ્યે તૂટ્યો આનંદ પ્રાપ્ત થાય છે. અને પંડિતરાજના પિતાના લેખથી પણ વિદિત છે કે કવિ લેકે એને પરંપરાથી બનાવતા આવે છે. ત્યારે એને પણ એક પ્રકારનું કાવ્ય માનવું જોઈએ. વળી આ બીજી વાત છે કે તમે એને અધમાધમ નહીં કહી શકે તે એથી પણ નીચેની પંક્તિમાં મૂકે. તે પછી આ વાત અવશ્ય થઈ કે કાવ્યનું લક્ષણ એવું હોય કે કેવળ શબ્દચમત્કૃતિથી પણ જે વાક્યમાં આનંદ આપવાનું સામર્થ્ય હેય, એમાં પણ એની ગતિ હોય, એટલા માટે અર્થના રમણીય થવાનો નિયમ કર ઠીક નથી. કેમકે શબ્દ ચમ તિવાળા વાક્યમાં પણ જો તે કાવ્ય મનાય તે આ નિયમના કારણથી લક્ષણની અવ્યાપ્તિ થાય છે. એ અવ્યાપ્તિના નિવારણને માટે અમો આ લક્ષણ કરવું ઉચિત સમજીએ છીએ. होय वाक्य रमणीय जो, काव्य कहावै सोय रतनाकर लक्षण करत, यह बहु ग्रन्थनि जोय. રત્નાકર ઘણું ગ્રન્થ જોઈ લક્ષણ કરે છે કે જે વાક્ય રમણીય હોય તે કાવ્ય કહેવાય. જે પદ્યબંધાદિ કાવ્ય મનાય તે પણ આ લક્ષણની અવ્યાપ્તિ એમાં નહિ થાય. અને જે કઈ એમાં રમણીયતાને અભાવ બતાવીને એને કાવ્ય ન માને તે પણ આ પ્રકારથી લક્ષણ કરવામાં કાંઈ હાનિ નથી. કેમકે જ્યારે રમણીયતા છેજ નહિ ત્યારે એમાં લક્ષણુની અવ્યાપ્તિ પણ નથી થઈ શકતી. અને આ લક્ષણને અભિપ્રાય પંડિતરાજકૃત લક્ષણ પ્રમાણે છે. એટલા માટે ચાહે પદ્યબંધાદિ રમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy