SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ] કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ. સમ્રાટ અશોકના પિતાના જ શબ્દોમાં કલિંગયુદ્ધની પાયમાલીનું વર્ણન વાંચીએ: રાજ્યાભિષેકના આઠમા વર્ષ પછી દેવતાઓને પ્રિય એવા પ્રિયદર્શી રાજાએ કલિંગ દેશ છે. આ સંગ્રામમાં દઢ લાખ મનુષ્ય પકડાયા, એક લાખ મનુષ્ય મરાયા અને એથી પણ “ઘણું વધારે માણસો (રોગ તથા મહામારી વિગેરેને લીધે) મૃત્યુના મેંમાં પડયા. કલિંગ જીત્યા પછી પ્રિયદર્શીને ઘણે “પશ્ચાત્તાપ થયો. જે દેશ પહેલાં કોઈ વાર ન છતા હોય તેને “જીતતાં પુષ્કળ મનુષ્યની હિંસા કરવી પડે છે–પુષ્કળ મનુષ્યોને “પકડવા પડે છે. પ્રિયદર્શીને આથી ઘણું દુઃખ તથા ખેદ થયે છે. “વધારે દુખ તે એટલા માટે થયું છે કે એમાં ઘણું શ્રમણો “તથા બ્રાહ્મણ હશે, બીજા સમુદાયના પણ ઘણું અનુયાયીઓ “હશે. માતાપિતાની સેવા કરનારા, બ્રાહ્મણની ભક્તિ કરનારા, “ગુરુની ઉપાસના કરનારા તથા પિતાના મિત્રો, ઓળખીતા– પારખીતાઓને મદદ કરનારા, નેકરની સાથે સારે સંબંધ રાખનારાઓ પણ ઘણું હશે. આવા દઢ અને ભક્તિભાવવાળા “ઘણું સજજનો આ યુદ્ધમાં ભરી ખૂટ્યા હશે અથવા તે વિખૂટા “પડી ગયા હશે. યુદ્ધના સંહારમાંથી બચી ગયેલા એવા કેટલાયને “પોતાના મિત્રો, પરિચિતો, સહાયક તથા સંબંધીઓનાં દુઃખ “જેઈ, સ્નેહને લીધે બહુ લાગી આવતું હશે. દરેકને કોઈ કોઈ “પ્રકારે આવા યુદ્ધમાં સહન કરવું પડે છે તેથી પ્રિયદર્શીને બહુ “ દુઃખ થયું છે. એવો કોઈ દેશ નથી કે જ્યાં શ્રમણ તથા “બ્રાહ્મણે અને બીજા અનેક સંપ્રદાયો ન હોય. કલિંગમાં એક શતાશ કે સહસ્ત્રાંશ ભાગ જેટલો નાશ હવે પ્રિયદર્શીને ભારે “દુઃખના હેતુ રૂપ બનશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy