SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮ : મગધના સાત્રાજ્યનું બીજ પ્રથમ બિંબિસારે અંગદેશને પિતાના દેશમાં મેળવીને રેપ્યું, ત્યાંથી શ્રી સુશીલે આ ગ્રંથના પહેલા પ્રકરણની શરૂઆત કરી અને ત્યારપછી ચંદ્રગુપ્ત અને બિંદુસારના સમયમાં માત્ર કલિંગ સિવાય સારાયે ભારતવર્ષમાં મગધનો કે બજવા લાગ્યો તે વિશે વિસ્તારથી જણાવતી વખતે લેખકે ભારપૂર્વક જણાવ્યું છે કે શ્રમણ અને બ્રાહ્મણના રમણીય ઉદ્યાન–તપાવન સરખા કલિંગને સ્વતંત્ર રાખવામાં અશોકના પૂર્વજો ગૌરવ લેતા અને તેમાં તેમની રાજનીતિનું સૂક્ષ્મ દર્શન હતું. સામ્રાજ્યની લાલસામાં તણાઈને વિનાકારણે અશોકે કલિંગને હત્યાકાંડ છને મૌર્ય સામ્રાજ્યનું પતન નજીક આયું. કલિંગને ભૌગોલિક પરિચય, મહાભારતના યુગમાં તેનું સ્થાન, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મગધની જાહોજલાલીને મધ્યાન્હ, કલિંગ યુદ્ધથી આરંભાએલ અમંગળ, કલિંગને કાચ પાર ન જીરવી શકનાર અશકની દશા, અશોકનું પૂર્વજીવન વગેરેનું વિસ્તૃત દર્શન કરાવનારાં પ્રકરણમાં લેખકને ઉંડો અભ્યાસ અને તેની રજુઆતમાં લેખકની રસદષ્ટિનું દર્શન થાય છે. કાં ભીખુ, કાં રાજકુંવર અને કાં પાગલશિર્ષક પ્રકરણ aindior' History is more poetic than poetry સૂત્રને ચરિતાર્થ થતું આપણે જોઈએ છીએ. અશોકના મૃત્યુ પછી અમુક વર્ષો બાદ અશક્ત વારસદારોના હાથમાં મગધનું સામ્રાજ્ય આવતાં સર્વત્ર અશાંતિ, અવ્યવસ્થા અને અંધાધુંધી વ્યાપતાં, મગધનું રાજસિંહાસન ડેલતું હતું, તે વખતે કલિંગના રાજનગર તેષાલીમાં યૌવનની પ્રભાથી દેવકુમારની સ્મૃતિ કરાવતા રાજકુમાર ભિખુરાજ કુમાર પર્વતની ગુફામાં શ્રમ અને જન નિગ્રંથના સંગમાં પિતાના આંતરદેહને સાત્વિક બનાવતા, છતાં તોષાલીનાં ખંડેરનાં દર્શનથી વિષાદ અનુભવી, કલિંગના ઉજવળ ભૂતકાળનું પુનરૂત્થાન કરવાના કેડ સેવતો એ યુવાન કેઈની દષ્ટિએ ભિખુ લાગતા તો કોઈને રાજકુંવરની પ્રતિભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy