SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ. માતાના દૂધની સાથે જ મળી હતી. ગ્રીક સમ્રાટ ડિમેટ્ટીઅસ તથા મેલેંડર જેવાને સસૈન્ય પરાસ્ત કરનાર પુષ્યમિત્રની કીર્તિકહાણું લોકજીભે દિગદિગંતમાં પ્રસરી ચૂકી હતી. આવા મગધસમ્રાટ ઉપર આક્રમણ લઈ જવાનું સ્વપ્ન, માત્ર ખારવેલ જેવો સ્વપ્નદર્શ જ એવી શકે. પાટલીપુત્રની પાસે કોઈ શત્રુ અચાનક આવી પહોંચે નહિં એટલા માટે વચ્ચે ગોરખગિરિને એક મોટે કલ્યો બાંધવામાં આવ્યો હતે. ખારવેલે પાટલીપુત્રના રાજમહેલ ઉપર ત્રાપ મારવા ઉતાવળ તે બહુ કરી, પણ ગેરગિરિ પાસે એને થોડા સમય સુધી રેકાઈ રહેવું પડ્યું. છેટાનાગપુરના રસ્તે જ ખારવેલની સવારી મગધ તરફ વળી હતી. ગોરખગિરિ ઓળંગતા એને થોડી વાર લાગી. એટલામાં પુષ્યમિત્ર, ખારવેલના સસૈન્ય ધસારાની વાત સાંભળી, પાટલીપુત્ર છોડીને નાસી જવાનો નિશ્ચય કર્યો. ખારવેલ જ્યારે દુર્ભેદ્ય જેવા મનાતા ગેરખગિરિના કીલ્લાને સર કરી પાટલીપુત્ર પાસે આવ્યા ત્યારે પુષ્યમિત્ર, પાટલીપુત્રને, અરક્ષિત રહેવા દઈ-દુશ્મનની દયા ઉપર છોડી ત્યાંથી નાસીને મથુરામાં ભરાઈ બેઠે હતે. ખારવેલને આ વખતને દાવ નિષ્ફળ ગયો. હોત તે ખારવેલ, જૂના વૈરનો બદલો વાળી લેત. જુગજૂની ઋદ્ધિ સમૃદ્ધિવંતી પાટલીપુત્ર-નગરી એ લૂંટાવત. અશકે કલિંગમાં જે કેર વર્તાવ્યો હતો તેની પુનરાવૃત્તિ પણ એ કરી શકત, પરંતુ ખારવેલ અનાથ જેવી બનેલી આ નગરીમાં પગ મૂકવાની નિર્દય હિમ્મત કરી શકતા નથી. પુષ્યમિત્રની પાછળ મથુરા સુધી દોડવામાં પણ એને નાનપ લાગે છે. પાટલીપુત્રના દરવાજા સુધી પહોંચેલા સૈન્યને એ પોતે પાછું વાળે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy