SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. જેમાં ગાય, ભેંસ, બળદ, પાડા વગેરે અનેક પશુઓ સુખપૂર્વક રહેતા હતા. તે ગામમાં ભીમ નામે એક કુડગ્રાહી રહેતા હતા તે ઘણો જ પાપી હતું. તેને થપ્પલા તામે સ્ત્રી હતી. તે ગર્ભવંતી થઈ ત્યારે તેને ગાય ભેંસના આંચળનું તથા ગરદનનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયે. દોહદ પૂર્ણ કરવા નિરંતર તે ચિત્તાતુર રહેતી, અને આર્તધ્યાન ધરતી. એક વાર ભીમને આ વાતની ખબર પડી એટલે તે મધ્ય રાત્રીએ ગૌશાળામાં આવ્યું અને હથીયાર વડે કેટલીએક ગાયે તથા ભેંસોની ગરદન તથા આંચળની ચામડી કાપી નાખી, અને માંસ લઈને ઘેર આવ્યા. સ્ત્રીએ તે માંસ દારૂ સાથે મેળવી ભક્ષણ કરી, પિતાનો દોહદ પૂર્ણ કર્યો. અનુક્રમે નવમહિને તેણે એક બાળકને જન્મ આપ્યો. જન્મતાવેંત જ બાળકે એક હેટી ભયાનક ચીસ પાડી, જેને પરિણામે ગામનાં ઘણું ઢેર બીકથી નાસભાગ કરવા લાગ્યા. તેથી આ બાળકનું નામ “ગેત્રાસિયા' પાડયું. આ બાળક મોટું થયું ત્યારે તેને બાપ ભીમ ભરી ગયો. ગત્રાસિયે ઘણો અધર્મી, કુકર્મ સેવનાર નીવડ્યો, તેથી રાજાએ તેને સેનાપતિ બના વ્યો કે જેથી ગામમાં તેના દુષ્કર્મો ઓછાં થાય; છતાં ગત્રાસીયો રોજ અર્ધી રાતે ઉઠી, બખતર પહેરી હાથમાં હથીયાર લઈ ગોશાળામાં જાય અને અનેક પશુઓના માંસ કાપી તેનું ભક્ષણ કરે. આવી રીતે ઘણું પાપને પુંજ ભેગું કરીને ગત્રાસી મરણ પામીને બીજી નરકમાં ગયો. ત્યાંથી નીકળીને તે વાણીજય નામના ગામમાં વિજયમિત્ર સાથે વાહને ત્યાં તેની સુભદ્રા નામની સ્ત્રીને પેટે પુત્ર પણે અવતર્યો. અવતરત જ તેને ઉકરડામાં ફેંકી દીધે, છતાં ફરીથી પાછા લાવ્યા; તેથી તેનું નામ ઉઝિઝયકુમાર પાડયું. અનુક્રમે યુવાવસ્થા પામતા આ ઉઝઝયકુમાર દુર્વ્યસની બન્યું. કોઈવાર જુગારીને ત્યાં, કેઈવાર વેશ્યાને ત્યાં, કઈવાર કલાલને ત્યાં એમ રખડવા લાગ્યો. તે ગામમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy