SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જન્મેલું બાળક નીકળ્યું. વણિક તેને પિતાને ત્યાં રાખી સાર સંભાળ કરવા લાગ્યો. કાંસાની પેટીમાંથી નીકળેલ, માટે તેનું નામ કેસ રાખવામાં આવ્યું. કંસ અનુક્રમે વયવૃદ્ધિ કરવા લાગ્યા. વખત જતાં તે ખૂબ તેજાની નીવડ્યો, આથી વણિકે કંટાળીને તે પુત્ર વસુદેવ રાજાને સોંપ્યો. એકવાર તે કંસ, વસુદેવની સાથે રાજા જરાસંઘના દુશ્મન સિંહને પકડવા ગયે, તેને પકડડ્યા પછી તે જરાસંઘની પુત્રી છવયશાને પરણ્યો. પતે ઉગ્રસેન રાજાનો પુત્ર છે અને ભાતાએ તેને જન્મતાં જ નદીમાં ફેંકી દીધો હતો, આ વાતની તેને ખબર પડતા જ, તેણે ઉગ્રસેનને કેદમાં પૂર્યો અને પોતે ગાદીપર બેઠો. પાછળથી શ્રી કૃષ્ણ કંસને મારી ઉગ્રસેનને છોડાવ્ય; પણ ઉગ્રસેન જરાસંઘના ભયથી કૃષ્ણ સાથે નાસીને દ્વારિકામાં આવી રહ્યો. ઉગ્રસેનને કંસ ઉપરાંત અતિમુ પુત્ર તથા રાજેમતિ નામક પુત્રી વગેરે હતા. રામતી અને અતિમુક્ત કુમારે જૈન પ્રવજ્ય અંગીકાર કરી હતી. ૪૧ ઉજ્જવાળી કુમાર. શ્રેણિક રાજાની ધારિણું નામક રાણના એ પુત્ર અને જાલીકુમારના સગા ભાઈ હતા. યૌવનાવસ્થા થતાં તેઓ આઠ સ્ત્રીઓ પરણ્યા હતા. ભ. મહાવીરની દેશના સાંભળી તેમને વૈરાગ્ય થયો અને મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. સોળ વરસ ચારિત્ર પાળ્યું. ગુણ રત્ન સંવત્સર નામનો મહાતપ કર્યો. અને અંત સમયે અનશન કરી, મૃત્યુ પામી તેઓ જયંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષમાં જશે. કર ઉઝિઝય કુમાર હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજા રાજ્ય કરતે હતો. તે નગરમાં એક જોવા લાયક અનેક સ્તંભવાળી ગોશાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy