SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી અનંત સંસાર પરિભ્રમણ કરતાં કરતાં છેવટે મનુષ્ય જન્મ પામી તે મેક્ષમાં જશે. ૨૩૯ સંયતિરાજા. પંચાલ દેશના કપિલપુર નગરમાં સંયતિ નામને રાજા હતો. એકવાર તે પિતાની ચતુરંગી સેના સાથે પોતાના કેશરી નામના ઉદ્યાનમાં શિકારાર્થે ગયો. ત્યાં તેણે ઘણું મૃગલાઓને સંહાર કર્યો. તે ઉધાનમાં ગર્દભાળી નામના એક મુનિ ધ્યાનદશામાં લીન હતા. મૃત્યુના ભયથી શિકારના પંજામાંથી નાસી છૂટેલું એક મૃગ, ધ્યાનસ્થ મુનિ તરફ દોડવા લાગ્યું, તેવામાં રાજાએ તેને એક બાણ વડે ઘાયલ કર્યું. મૂગ ત્યાં જ લગભગ મુનિ સમિપ પહોંચી મૃત્યુને શરણ થયું. તેને લેવા માટે રાજા તે જગ્યાએ આવ્યા, તેવામાં તેણે એક ધ્યાનસ્થ જેને મહાત્માને તે જગ્યાએ જોયા. આથી રાજા મનમાં ભય પામે અને ખેદપૂર્વક વિચારવા લાગ્યો કે અહો ! મેં પાપીએ માંસમાં વૃદ્ધ બનીને મુનિના મૃગને મા! આ મૃગ મુનિનું જ હોવું જોઈએ, નહિ તે તે મુનિ પાસે આવે નહિ. અરે, હવે શું થાય? જે આ મુનિ કે પાયમાન થશે તો તેઓ પિતાના તપોબળથી મને અને મારાં સૈન્યને બાળી મૂકશે. એમ કહીને તે મુનિ પાસે આવ્યો અને તેમના પગમાં વંદન કરી નમ્રતાપૂર્વક બે – હે મુનિ! હે તપસ્વી ! મહારો અપરાધ ક્ષમા કરે, મેં આપના મૃગને ઓળખ્યું નહિ. મુનિ ધ્યાનસ્થ હોવાથી રાજાના કથનથી કાંઈ પણ બેલ્યા નહિ, આથી રાજા વધારે ભયભીત બન્ય; ને વધારે નમ્રતાથી કહેવા લાગ્યા -હે મહારાજ ! કરણસાગર! મહારા સામે જુએ, હું આ નગરને સંયતિ રાજા છું. મહને બોલાવી ભારે ઉગ ટાળો. થોડીવારે ગર્દભાળી મુનિએ કાયોત્સર્ગ પાળ્યો અને કહ્યું –રાજન ! તને અભય છે; અને તું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy