SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર રસોઈના કામમાં તેણે પિતાના હાથ નીચે માછલીને પકડવાવાળા, હિરણને મારવાવાળા વગેરે હિંસાનું કામ કરનારા માણસે રાખ્યા હતા. જેમાં અનેક પશુ પક્ષીઓ લાવી આપતાં. સીરીયાં મરઘાં, મોર, તેતર, વગેરે પંખીઓને પાંજરામાં પૂરી રાખતે, તથા જીવતાં પંખીઓની પાંખ ઉખાડીને વેચતે, એટલું જ નહિ પણ ગાય, ભેંસ, ડુક્કર, બકરાં વગેરે પશુઓનાં માંસના ટુકડા કરી, તેને તેલમાં તળી રસેઈ બનાવતે, તે પોતે ખાત અને રાજાને પણ ખવડાવતે. આવી રીતે ઘણાં વર્ષો સુધી હિંસાકારી કૃત્ય કરીને તે મરણ પામે અને મરીને તે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન ચં. ત્યાંથી નીકળીને તે સરીપુર નગરમાં સમુદ્રદત્ત નામના મચ્છીમારને ત્યાં તેની સમુદ્રદત્તા નામની સ્ત્રીને પેટે જન્મ્યો. તેનું નામ સરિયદત્ત પાડવું. યુવાવસ્થા પામ્યો, ત્યારે તેના માબાપ ગુજરી ગયાં, તેથી તે મચ્છીમારેમાં અગ્રેસર તરીકે રહેવા લાગ્યો. તેણે ઘણા માણસ નેકર તરીકે રાખ્યા. જેઓ પાસે માછલીઓ પકડવાનું કામ કરાવતો. પછી તે સોરિયદત્ત પકડાયેલાં માછલાંઓને તાપમાં સૂકવત અને તેઓને પકવીને બજારમાં વેચવા લઈ જ. એકવાર સેરિયદત્ત માછલીને સેકીને ખાતા હતા, તેવામાં તે માછલીને કાંટો તેના ગળામાં ભરાઈ ગયો. તેનાથી તેને તીવ્ર વેદની થઈ. ગળામાં કંઈ પણ પદાર્થ જઈ શકે નહિ, જેથી તે ભૂખ અનૈ તૃષાથી પીડાવા લાગ્યો. ખેરાક ન લઈ શકવાથી તે દિન પ્રતિદિન સુકાવા લાગ્યો. તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તેથી તેણે ઘણા વેદને ઉપચાર અર્થે બોલાવ્યા. વૈદેએ ખૂબ ઉલટીઓ કરાવી તથા બીજા ઘણું ઉપચાર કર્યા. પણ તે કાંટો ગળામાંથી કાઢવો કઈ સમર્થે થયું નહિ. પરિણામે તે મચ્છીમાર મરણ પામે અને પહેલી નરકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy