SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ પ્રણામ કર્યાં. ત્યારબાદ પુષ્પમાળા કાને પહેરાવવી તે માટે દરેક રાજાઓને વઢાવીને પૂર્વના નિયાણા (સંકલ્પ)ને વશ થઈ ને, તે પાંચ પાંડવાની પાસે આવી, અને તેમના કંઠમાં પુષ્પમાળા પહેરાવી. દ્રુપદરાજાએ પાંચ પાંડવાને સન્માનપૂર્વક રાજ્યભુવનમાં લાવીને દ્રૌપદીનું પાણીગ્રહણ કરાવ્યું. પાંચ પાંડવા દ્રૌપદી સાથે પોતાના હસ્તીનાપુર નગરમાં ગયા અને સુખ ભાગવવા લાગ્યા. એકવાર પાંચ પાંડવા દ્રૌપદી સાથે અંતઃપુરમાં બેઠા હતા. તેવામાં નારદજી આવ્યા. પાંડવાએ ઉભા થઈ નમસ્કાર કર્યાં. નારદને અન્નતિ, અસંયતિ, અપ્રત્યાખ્યાની જાણીને દ્રૌપદીએ વંદન ન કર્યું. આથી નારદને લાગ્યું કે પાંચ પાંડવાની સ્ત્રી થઈ છે. તેથી તેને અભિમાન આવ્યું જણાય છે, માટે તેને વિપત્તિ આપવી જોઈએ, એમ ચિંતવી નારદ ત્યાંથો રજા લઈને ગયા. ત્યાંથી તે અમરકકા રાજ્યધાનીમાં જઈ પદ્મનાભ રાજા પાસે આવ્યા, અને દ્રૌપદીના રૂપના ઘણાજ વખાણ કર્યાં. રાજાને દ્રૌપદી મેળવવાની ઇચ્છા થઈ. તેણે દેવની સહાય માગી. દેવે કહ્યું કે દ્રૌપદીને હું લાવી આપીશ, પરંતુ તું તેની સાથે સ્નેહ આંધવામાં સફળ થઈશ નહિ. તે મહા સતી અને પતિવ્રતા છે. પદ્મનાભના તપથી દેવ આવ્યા. તેણે હસ્તિનાપુરમાંથી પલંગમાં સૂતેલી દ્રૌપદીને ઉપાડી અમરક'કામાં લાવ્યા. રાજાએ દ્રૌપદીને ઘણું સમજાવી. પણ તે સફ્ળ થયા નિહ. પાંડવાને ખબર પડી. નારદજી આવ્યા. વાત કરી, નારદે અમરકકામાં એકવાર દ્રૌપદીને જોઈ હતી તેમ કહ્યું. પરિણામે પાંડવા તથા શ્રી કૃષ્ણ મહામહેનતે ત્યાં ગયા અને દ્રૌપદીને લાવ્યા. અનુક્રમે સુખ ભોગવતાં દ્રૌપદીને પુત્ર થયા. પાંડુસેન તેનું નામ પાડયું. કુમાર યુવાવસ્થાને પામ્યા. એકવાર સ્થવીર મહાત્મા પધાર્યાં. પાંડવા દ્રૌપદી સાથે વદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy