SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થળે એક ગામથી બીજે ગામ ફરતા ફરવાનું હોય છે. જ્યાં દરેક સ્થળે તેઓ ધર્મને પ્રચાર કરી શકે છે. ચોમાસાના ચાર મહિના એટલે અષાઢ સુદી (ગૂજરાતી ) ૧૪ થી કાર્તિકી પૂર્ણિમા સુધી એક જ સ્થળે તેમણે રહેવું જોઈએ કારણ કે કાચું પાણી અને લીલોતરીને સ્પર્શ કરવાની મનાઈ છે. કોઈ પણ પ્રકારે હિંસા ન થાય તે માટે તેમણે બહુ જ સાવચેત રહેવું પડે છે. અને અજાણતા થયેલી સુક્ષ્મ હિંસાનું પણ તેઓને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. બેસતાં, ઊઠતાં, હાલતાં, ચાલતાં જીવજંતુની હિંસા ન થાય તેની સંભાળ રાખે છે, બોલવામાં પણ જીવહિંસા થતી હોવાથી મુહપતિ' નામને એક કપડાને ટુકડે બેલતી વખતે મુખ આગળ રાખે છે. * અપરિગ્રહી તરીકે સાધુઓ બે અને સાધ્વીઓ ત્રણ કપડાં પહેરે છે. અને આવાં કપડાંની એક-બે જોડી પોતાની પાસે રાખે છે. તે સિવાય ઓઢવા-પાથરવા એક-બે ઉનની કાંબળ રાખે છે. તેમને ગાદલાં ઉપર સુઈ જવાની મનાઈ હેય છે. કોઈને મારવા માટે નહિ પણું જનાવરથી સંરક્ષણ કરવા માટે એક દંલાકડી પોતાની પાસે રાખે છે. હજામત કરાવવાની તેમને મનાઈ છે, તેથી તેઓ પોતાના વાળ મોટા થાય ત્યારે પિતાના હાથે જ ખેંચી કાઢે છે. સામાન્ય રીતે તેઓ વર્ષમાં બે વખત “લેચ' કરે છે, આ સિવાય યથાશક્તિ ધર્મધ્યાન અને તપશ્ચર્યા એટલે ઉપવાસ વગેરે કરે છે. ટૂંકમાં સાંસારિક સર્વ પ્રપંચેથી નિમુક્ત અને સદા અધ્યાત્મપરાયણ રહેવાને સાધુઓને ધર્મ છે. આઠ વર્ષથી નાના બાળકો, વૃદ્ધો, ભિક્ષા મેળવવા માટે અશક્ત રગીઓ, ચેર, આંધળા, ધનથી ખરીદાયેલા, તીર્થકરોનાં નામે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy