SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ લાલ શાહ અને જેલ વિદ્યાઓ જાણવા છતાં પણ આ સ્વરૂપનું શાન ન થયું હોય તે અજ્ઞાનદશા છે. આત્મજ્ઞાન વગરના મનુષ્યનું દરિયા જેટલું જ્ઞાન પણ પરમાર્થદષ્ટિએ નિરર્થક છે. * આત્માની અજ્ઞાનતાથી થતું દુઃખ આત્મજ્ઞાનથી જ ક્ષય કરી શકાય છે. કેમકે પ્રકાશ અને અધિકારની જેમ જ્ઞાન અને અજ્ઞાનને વિરોધ છે. અને એથી અન્ધકારને હણવા જેમ પ્રકાશ જરૂર છે, તેમ અજ્ઞાનને હણવા જ્ઞાન જરૂરનું છે. જ્યાં સુધી આત્મા કષાય, ઇન્દ્રિ અને મનને વશીભૂત છે ત્યાં સુધી તે આત્મા જ પોતે સંસાર છે. અને જ્યારે ક્રોધાદિ કષાયના ક્ષયારા ઇન્દ્રિય અને મનને જીતી નિર્મોહ દશામાં પ્રાપ્ત થઈ પૂર્ણ વિકાસમાં આવે છે, ત્યારે તે જ આત્મા મેક્ષ કહેવાય છે. ' ક્રોધને નિમહ ક્ષમાથી થાય છે, માનને પરાજય મૃદુતાથી થાય છે, માયાને સંહાર સરળતાથી થાય છે અને લેભનું નિકન્દન સંતોષથી થાય છે. આ કથાને વિજય કરવા ઈન્દ્રિયોને સ્વાધીન કરવી જોઈએ. ઇન્દ્રિો ઉપર સત્તા જમાવવા મનની શુદિની આવશ્યકતા છે. સત. કિયાના અભ્યાસથી અને વૈરાગ્યથી મનને નિરાધ થઈ શકે છે. મનને નિરોધ કરવામાં રાગ-દ્વેષ ઉપર અંકુશ મૂકવો ખાસ અગત્યનું છે. રાગ-દ્વેષરૂપ મેલને દૂર કરવાનું કામ સમતારૂપ જળનું છે. સમતાગુણને પ્રાદુર્ભાવ મમતાને અટકાવ્યા વગર કદી થતો નથી. મમતાને દૂર કરવા 'अनित्यं संसारे भवति सकलं यमयनगम्' – સંસારમાં જે કાંઈ આંખથી દેખાય છે, તે બધું અનિત્ય છે? એવી અનિત્ય ભાવના અને તે સિવાય બીજી “અશરણ” વગેરે ભાવનાઓ ભાવવી જોઈએ. આ ભાવનાઓને વેગ જેમ જેમ પ્રબલ થત જાય છે, તેમ તેમ મમવરૂપ અન્ધકાર તે પ્રમાણમાં ક્ષીણ થતો જાય ... १ " असंशयं महाबाहो! मनो दुनिग्रहं चलम् । અયાન = શૌતો! વિશે જ પૂછે ” – ભગવદ્ગીતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy