SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૭ : ચઢતાં ચઢતાં ભાન નહિ રાખવાથી નીચે ગબડી પડે છે અને પહેલે પથિએ જઈ પડે છે. અગ્યારમા પથિયા સુધી પહેાંચેલાઓને પણ મેાહના ફટકા લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. એટલા જ માટે શાસ્ત્રોમાં એ વાતની વારંવાર ઉદ્ઘોષણા કરવામાં આવી છે કે ચઢતાં ચઢતાં લગારે પ્રમાદ કે ગલત ન થવી ૧જોઈએ. ખારમે પથિએ પહેાંચ્યા પછી પડવાના કાઇ જાતના ભય રહેતા નથી. આઠમે—નવમે પથિએ માહના ક્ષય શરૂ થયા પછી પડવાના ભય તદ્દન ટળી જાય છે. આ વિષયને લગાર ફ્રેંકમાં કહી જઇએ. પ્રથમ ચૌદ ગુણુશ્રેણિ આનાં નામ મિથ્યાદષ્ટિ, સાસાદન, મિશ્ર, અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણુ, અનિવૃત્તિ, સુક્ષ્મસ'પરાય, ઉપક્ષાન્તમેાહ, ક્ષીણમેાહ, સયેાગવલી, અયાગી કેવલી. મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાન—સ જીવા પહેલા તે એકદમ અધેાતિના નીચે પાટલે હેાય છે, એ સહુ સમજી શકે છે. અતઍવ પહેલી શ્રેણીમાં વસતા જીવા મિથ્યાદષ્ટિવાળા હોય છે. મિથ્યાદષ્ટિ એટલે અજ્ઞાનદષ્ટિ. આ પહેલા પગથિ ઉપરથી આગળ વધાય છે. આ સર્વાધમ પ્રથમ શ્રેણી અથવા પ્રથમ પગિથયું શે! એવા ગુણુ ધરાવે છે કે જેથી તેને પણ ‘ ગુણશ્રેણી ’ અથવા ગુરુસ્થાન શબ્દ ઘટી શકે. ? એવા સહજ પ્રશ્ન આવી ઊભો થઈ શકે? આના સમાધાનમાં એમ સમજવું કે, દરેક જીવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને એકદમ નીચેની હદના જીવામાં પણ કિંચિત્ ચૈતન્યમાત્રા તો અવશ્ય પ્રકટ હોય છે. એ અપેક્ષાએ મિથ્યાદષ્ટિને ં ગુરુસ્થાન ’ કહ્યું છે. ' . . ૧. જૈન ‘ ઉત્તરાધ્યયન ' સૂત્રમાં દશમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમને સખાધીને • ગાયમ ! મ કર પ્રમાદ ' એવા અર્થના શબ્દથી ભૂર ભૂરિ ઉપદેશ કર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy