SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પ્રભાતકુમાર કેવળ એક સા સૈનિકાને સાથે લઈને નિર્ભય થઈ દુર્ગના દ્વારમાં આવીને ઉભા રહ્યો. તેની લાંખી અને ચમકતી તલવાર વાતાવરણમાં ભયંકરતાથી ધૂમવા લાગી—ચારે તરફથી મુસમાનાનાં માથાં તેની આગળ જમીનપર પડવા લાગ્યાં. મુસમાનાએ ઝંઝાવાત પ્રમાણે અનેકવાર તેનાપર આક્રમણ કર્યું, પરંતુ પ્રભાત-અચલ પ્રભાત ત્યાંથી એક પગલું પણ પાછા હટયો નહિ. કારણકે, એરીસાની સ્વતંત્રતામાટે તે પેાતાના પ્રાણા તા અર્પિત કરી જ ચૂકયા હતા. એટલામાટે તેણે પેાતાની પ્રતિજ્ઞાને અચલ રાખી અને ભીષણુ-મહાભારત પરાક્રમથી તે પેાતાની તલવાર ચલાવવા લાગ્યા. ૧૪૮ પરંતુ આરીસાના ભાગ્યરૂપી નભામંડળમાં કૃષ્ણ મેધ્ વરૂપી અગ્નિ સહિત પાતાના ભીષણ સ્વરૂપનું દર્શન આપી રહ્યો હતા. આરીસાની રાજલક્ષ્મીની કૃપાદૃષ્ટિ હવે મુસલ્ખાનાપર જઈ પડી હતી. મુસમાનાએ દુર્ગના દક્ષિણુદ્દારને તેડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેાપાના ગાળાના મારથી કિલ્લાની દીવાલાના કકડે કકડા થઈ ગયા. મુસલ્માનાની તલવારાની ધારથી કિલ્લાની અંદરના આર્ય સૈનિકા બકરાં પ્રમાણે કપાઈ જવા લાગ્યા. મામલા પૂરેપૂરા બદલાઈ ગયા. ઘેાડીવાર પહેલાં આર્યોના મનમાં વિજયની પૂર્ણ આશા રમમાણ થએલી હતી, તે સર્વથા નિરાશાના રૂપમાં ફેરવાઈ ગઈ. પ્રભાતના મનમાં જયની હવે જરાપણ આશા રહી નહિ. છતાં પણ તે લડતા રહ્યો. એટલામાં દુર્ગના અંતર્વાંગમાં અગ્નિ લગાડી દેવામાં આવ્યા અને નગરમાંના ગૃહેા ધૂ-ધૂ કરતાં બળવા લાગ્યાં. નગરસંરક્ષણની આશાનેા જડમૂળથી નાશ થયેા. પ્રભાતકુમાર ! હવે તું ન્હાસ. તું કાંઈ રાજપુત્ર નથી. માટે પ્રાણ અર્પવા વિના સમરભૂમિના ત્યાગ ન કરવા, એ નિયમ તને લાગૂ પડી શકતા નથી. તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ચૂકી છે. તારે એ સ્મરણુ રાખવું જેઈએ કે, તારા મરણથી એક કુસુમ સમાન કામલ હ્રદય વિદીર્ણ થઈ જશે! પ્રભાતે એક દીર્ધ નિઃશ્વાસ નાખીને પાછા વળીને જોયું. તેના સૈન્યના એક પણ સૈનિક ત્યાં હાજર હતા નહિ. સર્વ સૈનિકા કિલ્લામાં ન્હાસવાના પ્રયત્ન કરવામાં લીન થઈ ગયા હતા. હવે યુદ્ધ કરવું વૃથા સમઝીને પ્રભાત ત્યાંથી પાછા ક્ર્યો અને અશ્વને પ્રતાદપ્રહાર કરીને વાયુવેગે પલાયન કરી ગયા. યુદ્ધભૂમિના તેણે ત્યાગ કર્યો. રાત્રિ વ્યતીત થઈ ગઈ અને પ્રાતઃકાળ થયેા. જગતના સંપૂર્ણ અંધકારે જાણે એરીસાના સ્વાતંત્ર્યરૂપી સૂર્યને ઢાંકી દીધા હાયની, એવા ભાસ થવા લાગ્યા. પ્રાતઃકાલીન મંદમંદ વાયુથી દુર્ગના શિખરભાગે પઠાણાની વિજયપતાકા ફરફર કરતી ઉડવા લાગી. સહસ્રાવધિ વર્ષોંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy