SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એટલું કહીને તેણે પેાતાના અશ્વને ચેાભાવી રાખ્યા અને એક ધ્યાનથી શત્રુઓ પ્રતિ બેઈ રહ્યો. “ એક સા કરતાં વધારે શસ્ત્રધારી સૈનિકા સમીપસ્થ તીરપ્રાંતમાં હાય, એવું અનુમાન કરી શકાય છે.” રણધીરે એક પળની વિશ્રાંતિ પછી કહ્યું. “આપણી સંખ્યા માત્ર પચાસની જ છે. પરમેશ્વરે પેાતે જ શત્રુઆને આપણા હાથમાં સોંપીને આપણુને શૌય મતાવવાના અમૂલ્ય પ્રસંગ આપેલા છે. કેવા આનન્દના અવસર ! આજે ખરેખર મારી પ્રતિજ્ઞા પૂરી થશે.” ૧૩૮ “ક્ષત્રિયાના વિજય !” યુવક રાજપૂત વીરના સૈનિકાએ જયનાદ કર્યો. “ત્યારે શૂરવીરા! વધા આગળ અને ટૂટી પડે। શત્રુઆપર.” રણુધીરે તેમનાં વચનને ઉત્તેજન આપીને આજ્ઞા કરી. એટલું કહેતાં જ તેણે પેાતાના અશ્વને એડી મારી દપટાવી મૂક્યા અને આંખના પલકારામાં મેદાનને આળંગી નદીના તીરપુર આવી પહોંચ્યા. ઘેાડીકવાર વિચાર કરીને તેણે મહાનદીના વેગવાન વારિપ્રવાહમાં કાવ્યું અને નિર્વિઘ્ને સામે તીરે જઈ નીકળ્યું. તેના સૈનિકા પણ તેવી જ રીતે તેની પાછળ ત્યાં આવી પહોંચ્યા. મુસલ્ખાનાની ટુકડી હવે તેમનાથી ઘેાડી જ દૂર હતી. તેથી રસુધીર સ્પષ્ટતાથી જેઈ શક્યા કે, તેમાં નવાબના કે કાળાપહાડના જનાનખાનાની ઔરતાની સંખ્યા વધારે હતી, અને ઘેાડાક શસ્ત્રધારી સૈનિકા તેમના સંરક્ષણમાટે તેમની સાથે હાય, એવી તેણે કલ્પના કરી દીધી. તે સધળી સ્ત્રીઓનાં શરીરે સુંદર વસ્ત્રા અને મુખપ્રદેશમાં આવરણા (યુર્ઝાએ) જેવામાં આવતાં હતાં. તે સર્વ સુન્દરી ચંચળ અને ચપળતિવાળા અરખી અશ્વાપર સ્વાર થએલી હતી. એ શમશીરવાળા બહાદુર પડાણા અને અપ્સરા જેવી જણાતી અન્ય અબળાઓના મધ્ય ભાગમાં પેાતાના બહુમૂલ્ય અરબી અશ્વને નચાવતી ચાલતી નવયૌવના અને હાવભાવપૂર્ણ યુવતી, તેના દધ્મધ્યા ભરેલા પેશાકથી કાઈ કુળવાન અધિકારીની પુત્રી હાય, એવા વિરત જ જોનારને નિશ્ચય થતા હતા. તે સર્વ આનંદમાં નિમગ્ન થઈ પરસ્પર વાર્તાલાપ કરતાં માર્ગને ક્રમતાં જતાં હતાં. શાકના તેમનાં હૃદયેામાં સર્વથા અલાવ હતા. પરંતુ ઈશ્વરની કેવી અદ્ભુત લીલા? એકની હાનિ તે અન્યના લાભના હેતુ થઈ પડે છે. અર્થાત્ તેમના તે આનંદ અને હષઁને ક્ષત્રિય વીર öસુધીર શાક અને ખેના રૂપમાં ફેરવી નાખવા ઇચ્છતા હતા. તેણે તે જ ક્ષણે પઠાણુ સૈનિકાને લડાઈના ઇશારા કર્યો. સૈનિકાએ યુદ્ધના એ સમાચાર સંભળાવતાં જ સ્ત્રીઓમાં ભયંકર ગભરાટ ફેલાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy