SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ કાળાપહાડની છાવણી ૧૩૫ વ્યર્થ પ્રયત્ન કરીશ નહિ.” એમ કહીને કાળાપહાડ ગહન અને ગંભીર વિચારામાં સર્વથા નિમગ્ન થઈ ગયા. શ્રવીર રણધીરની છાતી જુસ્સાથી ઉભરાઈ આવી અને બેશમાં ને બેશમાં તેણે કાળાપહાડના એ અહંકારદર્શક વાક્યાનું ઉત્તર પણ આપ્યું હાત, પરંતુ ત્યાં બેઠેલા એક ખીજા વૃદ્ યવન અધિકારીએ તેને ખેલતા અટકાવ્યા. કાળાપહાડના જુલ્મી અને કીનાખેાર ખવાસને તે સારી રીતે જાણતા હતા, તેથી આ નિર્દોષ રણધીરપર તેને ઘણી જ દયા આવી. તે રણુધીરને તંમાંથી બહાર લઈ ગયા અને ઉપદેશ આપતા હાય, તેવા સ્વરથી કહેવા લાગ્યા કે;– “ઉન્મત્ત યુવક! શું તું શેરને તેની પેાતાની ગુઢ્ઢામાં જ જેર કરવાની આશા રાખે છે કે? વિચાર કર; તારી ભાવના ભૂલ ભરેલી છે.” “મહાપુરુષ! તમારા અભિમાનમાં ભાન ભૂલેલા સેનાપતિએ ઉચ્ચ ક્ષત્રિયકુલતિલક ભૂપાલ નંદકુમાર દૈવને અને મને જે ન આપવા જેવું અપમાન આપ્યું છે, તેને માટે હું ઈશ્વરના શપથ લઈ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, એનું બૈર હું લઇશ અને કાળાપહાડને તેના ગર્વની શિક્ષા અવશ્ય આપીશ.” રણધીરે પેાતાની કટિએ લટકતી તીક્ષ્ણ તલવારની મૂપર હાથ રાખીને કાપપૂર્વક એ શબ્દો ઉચ્ચાર્યાં. માઢથી ખેાલવા કરતાં કરી બતાવવાને મુસલમાના વધારે પસંદ કરે છે.” વૃદ્ઘ યવન અધિકારીએ હસતાં હસતાં કહ્યું; અને વધારામાં ઉમેર્યું કે, “હું તને વધારે દુ:ખમાં નાખવા નથી ઇચ્છતા. તું જે કાંઈ મેટ્યા છે, તેને હું મારા મનના મંદિરમાં જ છૂપાવી રાખીશ. હવે ઉતાવળથી ચાલ્યા જા. અહીં તું ભયના સમુદ્રમાં છે, માટે તીરપ્રાન્તના શાધ કર. એટલું કહીને નૃ યવન અધિકારીએ રસુધીર અને તેના સૈનિકાને પોતાના એક ગુલામ સાથે રવાના કરી દીધા. તે ગુલામ તેમને કાળાપહાડની છાવણીની હદથી બહાર પહોંચાડી આવ્યા, અને તે છાવણીમાં પાછા વખતસર આવી પહોંચ્યા. એ વૃદ્ધુ યવન અધિકારી તે નિરંજનને કારાગૃહમાં ભાજન આપવાને આવનારા વૃદ્ધ સિપાહી જ હતા. એ બ્રાહ્મણમાંથી ભ્રષ્ટ થઈને યવન થએલા હતા, એ તા વાંચકા જાણે છે જ. કાળાપહાડ જ્યારે ભ્રષ્ટ થયે। અને સારી પદવીના અધિકારી થયા, ત્યારે પેાતાના દુઃખના સમયમાં કામ આવેલા એ વૃદ્ધને તે ભૂલી ગયા નહિ. બાદશાહ પાસે શિકારિશ કરીને તેણે તેને સૌન્યમાં અધિકારીની એક સારી પદવી અપાવી અને પાતાથી બનતી તેની ખીજી સેવા પણ કરવા લાગ્યા. મૂળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy